Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! ગુજરાતના આ ભાઈએ ઑફિસ ન જવાનું અનોખું બહાનું આપ્યું; પોતે વિષ્ણુના દસમા અવતાર કલ્કી હોવાનો દાવો કર્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

કોરોનાકાળ વચ્ચે ગુજરાત સરકારના એક અધિકારીએ દાવો કર્યો છે કે તે વિષ્ણુનો દસમો અવતાર કલ્કી છે અને તે ઑફિસ જઈ શકશે નહીં, કારણ કે તે વૈશ્વિક અંતરાત્માને બદલવામાટે તપશ્ચર્યાકરી રહ્યા છે. તેમની તપશ્ચર્યાને કારણે, દેશમાં સારો વરસાદ પડી રહ્યો છે.

હકીકતે સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી (એસએસપીએ)માં અધીક્ષક ઇજનેર તરીકે કાર્યરત રમેશચંદ્ર ફેફર છેલ્લા આઠ મહિના દરમિયાન તેમની વડોદરાસ્થિત ઑફિસમાં માત્ર ૧૬ જ દિવસ હાજર રહ્યા હતા. ત્યાર બાદ સંસ્થાએ તેમને શો-કોઝ નોટિસ ફટકારી હતી જેમાં લખ્યું હતું કે "આવી અનધિકૃત ગેરહાજરી ગેઝેટેડ અધિકારીઓને અનુકૂળ નથી. તમારી ગેરહાજરીને કારણે એજન્સીનું કામ અવરોધાય છે."

ઉલ્લેખનીય છે કે આ નોટિસ અને તેનો જવાબ વાયરલ થઈ ગયો હતો. ઉપરાંત તેમણે પોતાના રાજકોટ સ્થિત ઘરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે "જો તમે વિશ્વાસ ન કરો તો પણ, હું ખરેખર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું અને આગામી દિવસોમાં હું એ સાબિત કરીશ. હું માર્ચ ૨૦૧૦માં મારી ઑફિસમાં હતો ત્યારે મને જણાયું કે હું કલ્કીનો અવતાર છું, ત્યારથી મારી પાસે દિવ્ય શક્તિઓ છે.

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Exit mobile version