Site icon

આ રાજ્ય નો સાહસિક નિર્ણય : પરિસ્થિતિ ખરાબ હોવા છતા નહિ લાગે લોકડાઉન – જાણો વિગત 

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર
કોરોનાને કારણે મહારાષ્ટ્ર પછી દિલ્હીમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ છે. દિલ્હી દેશની રાજધાની છે, તેમ છતાં હજી અહીં કોરોના કાબૂમાં આવી નથી. આ સંદર્ભે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે એક તત્કાળ બેઠક બોલાવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હીમાં પરિસ્થિતિ ઘણી જ ભયજનક છે, તેમ છતાં પણ લોકડાઉન લાદવામાં આવશે નહિ.

Join Our WhatsApp Community

તેમણે જણાવ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર છે, પરંતુ દિલ્હીમાં આ ચોથી લહેર છે. કોરોના ખૂબ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ મરણાંક નીચો છે. તેથી ગભરાવાની જરૂર નથી. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 3583 કેસ નોંધાયા છે. પહેલાં ઓક્ટોબરમાં જયારે 3000-4000 કેસ દરરોજ આવતા હતા ત્યારે  આઈ.સી.યુ.માં લગભગ 1700 દર્દી હતા અને અત્યારે માત્ર 800 એટલે કે 50% જેટલા જ દર્દી છે. 

કેજરીવાલે ઉમેર્યું હતું કે આ વેવ ગંભીર નથી અને દર્દી હોમ આઇસોલેશનમાં પણ સાજા થઈ રહ્યા છે, માટે અત્યારે સરકારનો લોકડાઉન કરવાનો પ્લાન નથી. ભવિષ્યમાં સ્થિતિ પ્રમાણે નિર્ણય કરવામાં આવશે. આજે અમે મિટિંગમાં સુનિશ્ચિત કર્યું છે કે હોસ્પિટલની સુવિધા વધુ સારી બને જેથી જો સ્થિતિ કથળે તો તેને કાબુમાં લઈ શકાય.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version