Site icon News Continuous Bureau | Mumbai

ચંદ્રપુર તાડોબા વાઘ અભ્યારણમાં વધુ બે વાધોના મોત, વન વિભાગના કર્મચારીઓમાં ખળભળાટ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 જુન 2020 

હજુ ચાર દિવસ પહેલાં જ ચંદ્રપુર ના તાડોબા અંધારી વાઘ અભ્યારણ માંથી તળાવને કિનારે વાઘણ મૃત અવસ્થામાં મળી આવી હતી, તેના મોતનું કારણ હજી મળ્યું નથી. ત્યાં તરુણ અવસ્થામાં પગ મૂકી રહેલા દોઢથી બે વર્ષના બાળ સિંહોના મૃત્યુથી ખળભળાટ મચી ગઈ છે. તાડોબા ના ઘનઘોર જંગલોમાં બળ સિંહોના મૃત્યુ કેવી રીતે થયા? કેમ થયા? કોણે કર્યા? વગેરે સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે.

 જે તળાવ નજીક મોત થયા છે તે જ સ્થળે થોડા સમય પહેલાં કેટલાક વાંદરાઓના મોત પણ થયા છે. આથી વનવિભાગના અધિકારીઓ એ રીતે પણ તપાસ કરી રહી છે કે કદાચ તળાવનું પાણી તો દૂષિત નથી થયું ને!? જે માટે પાણીના નમૂના લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.

 દરમિયાન તાડોબા અંધારી પ્રકલ્પ વાઘ ની જાળવણી કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. વાઘ માટેના સંવર્ધન વિભાગમાં ચાર દિવસોમાં ત્રણ વાઘના મોત નિપજતા વનવિભાગના કર્મચારીઓ પણ ગભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અહીં અડીને આવેલા આસપાસના ગામોમાં ખેતી કરવામાં આવે છે. આથી એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંક કોઈનો પાક ખરાબ થવાથી ગામવાસીઓએ તો વાધો ને માર્યા નથી.. હાલ આ તમામ સવાલોના જવાબ માટે ફોરેન્સીક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે….

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Nallasopara Drug Seizure Foreign Woman Arrested નાલાસોપારામાં ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી, અધધ ₹૪.૮૩ કરોડના MDMA અને કોકેન સાથે વિદેશી મહિલા ઝડપાઇ
Vasai Virar VBA Leaders Detention મહારાષ્ટ્ર બંધ કરાવવા નીકળેલા નેતાઓ જેલ હવાલે! વિરારવસઈમાં ભારે તણાવ વચ્ચે VBA ના પદાધિકારીઓની અટકાયત!
Bharat Taxi App Grand Launch મહારાષ્ટ્રમાં ‘ભારત ટેક્સી એપ’નું ભવ્ય લોન્ચિંગ, કેબ અને ઓટો ચાલકો સહિત મુસાફરોને મળશે મોટો ફાયદો
Exit mobile version