Site icon

કોરોનાના નામે તિહાર જેલમાંથી 3500 જેટલા કેદીઓ ‘ગાયબ’ થયા… તંત્ર એલર્ટ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

કોરોના ના કેસ વધવાને કારણે ગત વર્ષે જેલ પ્રશાસને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો જે મુજબ જેલમાંથી અનેક કેદીઓને પેરોલ આપવામાં આવ્યા હતા. આ તે કેદીઓ હતા જેઓને એક અથવા બીજી ગંભીર બીમારીઓ હતી. અમુક કેદીને ટીબી, જ્યારે કે અમુક ને HIV અથવા કિડની સંદર્ભેની કે પછી ફેફસા સંદર્ભેની બીમારીઓ હતી. આ તમામ કેદીઓને જેલમાં રાખવામાં આવત તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા હતી. આ વાતને ધ્યાનમાં રાખીને જેલ પ્રશાસને આશરે છ હજાર સાતસો ૪૦ જેટલા કેદીઓને તિહાર જેલમાંથી મુક્ત કર્યા હતા. આ કેદીઓ માંથી અત્યારે 3468 કેદીઓ લાપતા છે. આ કેદીઓ ક્યાં ગયા છે? શું કરી રહ્યા છે? તે સંદર્ભે દિલ્હી પોલીસ સહિત અલગ અલગ રાજ્યની પોલીસો તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે તિહાર જેલમાં ગંભીર સજા ભોગવી રહેલા કેદીઓની સંખ્યા વધુ હોય છે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version