Site icon News Continuous Bureau | Mumbai

ટીએમસીએ રાષ્ટ્રપતિના દરબારમા નાખી ઘા …  બંગાળના રાજ્યપાલને હટાવવાની વિનંતી.. જાણો રાજ્યપાલે એવું તે શું કર્યું!?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

30 ડિસેમ્બર 2020

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ બુધવારે કહ્યું હતું કે તેણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને હટાવવા માટે રાષ્ટ્રપતિનો સંપર્ક કર્યો હતો. ટીએમસી રાજ્યસભાના સભ્ય સુખેન્દુ શેખર રોયે કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે, જેમાં શ્રી ધનખરને પદ પરથી હટાવવા જણાવ્યું છે. બંધારણની કલમ 166 (1) ને ટાંકીને જણાવ્યું છે કે, "રાષ્ટ્રપતિ રાજ્યપાલની ગેરહાજરી દરમિયાન પદ સંભાળશે." 

29 મી ડિસેમ્બરના રોજ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે શ્રી ધનખર બંધારણની જાળવણી અને બચાવ કરવામાં નિષ્ફળ ગયા છે. સુદીપ બેનર્જી, ડેરેક ઓ'બ્રાયન, કલ્યાણ બેનર્જી અને કાકુલી ઘોષ દસ્તીદરે સહી કરેલા પત્રમાં કેન્દ્ર અને રાજ્યના પક્ષોનો રાજકીય વિરોધ હોવાનું જણાવ્યું છે.'

20 પાના સુધી ચાલેલા મેમોરેન્ડમમાં, તૃણમૂલ કોંગ્રેસના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ પોતાની શપથ પ્રમાણે વ્યવહાર કરવામાં નિષ્ફળ ગયાં છે. ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ની રાજ કરવાની રીત પર આકરા પ્રહારો કર્યા હતાં અને બંને આમને સામને આવી ગયાં હતાં

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version