Site icon News Continuous Bureau | Mumbai

ટીએમસીએ રાષ્ટ્રપતિના દરબારમા નાખી ઘા …  બંગાળના રાજ્યપાલને હટાવવાની વિનંતી.. જાણો રાજ્યપાલે એવું તે શું કર્યું!?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

30 ડિસેમ્બર 2020

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ બુધવારે કહ્યું હતું કે તેણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને હટાવવા માટે રાષ્ટ્રપતિનો સંપર્ક કર્યો હતો. ટીએમસી રાજ્યસભાના સભ્ય સુખેન્દુ શેખર રોયે કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે, જેમાં શ્રી ધનખરને પદ પરથી હટાવવા જણાવ્યું છે. બંધારણની કલમ 166 (1) ને ટાંકીને જણાવ્યું છે કે, "રાષ્ટ્રપતિ રાજ્યપાલની ગેરહાજરી દરમિયાન પદ સંભાળશે." 

29 મી ડિસેમ્બરના રોજ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે શ્રી ધનખર બંધારણની જાળવણી અને બચાવ કરવામાં નિષ્ફળ ગયા છે. સુદીપ બેનર્જી, ડેરેક ઓ'બ્રાયન, કલ્યાણ બેનર્જી અને કાકુલી ઘોષ દસ્તીદરે સહી કરેલા પત્રમાં કેન્દ્ર અને રાજ્યના પક્ષોનો રાજકીય વિરોધ હોવાનું જણાવ્યું છે.'

20 પાના સુધી ચાલેલા મેમોરેન્ડમમાં, તૃણમૂલ કોંગ્રેસના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ પોતાની શપથ પ્રમાણે વ્યવહાર કરવામાં નિષ્ફળ ગયાં છે. ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ની રાજ કરવાની રીત પર આકરા પ્રહારો કર્યા હતાં અને બંને આમને સામને આવી ગયાં હતાં

Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી
Supreme Court Shiv Sena Hearing ‘૫ માંથી ૩ ધારાસભ્યો તૂટે એટલે શું આખો પક્ષ જ સોંપી દેવાનો?’ સુપ્રીમ કોર્ટમાં વકીલનો તીખો સવાલ
JSSC Recruitment Exams હાઈકોર્ટનો મોટો આદેશ JSSCCGL સહિતની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય સ્થગિત
Exit mobile version