કાશ્મીરના જંગલમાં છુપાઈ બેઠેલા આતંકવાદીઓને શોધી કાઢવા ભારતીય સેનાએ આ મોડસ ઓપરેન્ડી અપનાવી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 ઑક્ટોબર, 2021

શુક્રવાર 

કાશ્મીરમાં પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. આતંકવાદીઓ હુમલો કરીને ભાગી જઈને જંગલમાં છુપાઈ જતા હોય છે. એથી હવે ભારતીય લશ્કરે આતંકીઓને શોધી કાઢવા જોરદાર કાર્યવાહી ચાલુ કરી દીધી છે. જેમાં લશ્કરે જંગલમાંથી આતંકીઓને બહાર કાઢવા માટે મેંઢરના ભાટાદૂડિયાં જંગલમાં આગના ગોળા વરસાવાનું ચાલુ કરી દીધું છે. જંગલમાં છુપાઈ બેઠેલા પાકિસ્તાન પ્રેરિત આ આતંકીઓને બહાર કાઢવા તેમના કહેવાતા અડ્ડા પર આગના ગોળા ફેંકવામાં આવ્યા હતા. એથી જંગલમાં આગ લાગી ગઈ હતી. એક તરફ સેના દ્વારા આતંકીઓને ઝબ્બે કરવા ઘેરાવબંધી કરવામાં આવી રહી છે તો બીજી તરફ જંગલમાં કમાન્ડો અને સ્પેશિયલ ફોર્સ જંગલના ચપ્પા ચપ્પામાં ફરીને તેમને શોધી રહી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે ચમરેડના જંગલમાં 11 ઑક્ટોબરના આતંકીના પહેલા હુમલા બાદ 14 ઑક્ટોબરના ભાટાદુડિયામાં હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થઈ ગયા હતા. 

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન : મહામારીમાં દેશ ઉપર આ સવાલો ઊઠ્યા, આજે મળી ગયા દરેક જવાબ, વિશ્વ જોઈ રહ્યું છે ભારતની તાકાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More