Site icon

ઘર ખરીદવા ઇચ્છુક ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા મહારેરાએ ડેવલપરો માટે લીધો આ નિર્ણય. જાણો વિગત.

MahaRERA notices to 261 projects with slow pace

મહારેરાએ રાજ્યના 261 પ્રોજેક્ટ્સને ફટકારી કારણ બતાવો નોટિસ, સૌથી વધુ અધૂરા પ્રોજેક્ટ આ શહેરમાં..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર.

ઘર ખરીદનારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા માટે મહારેરાએ બહુ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ ડેવલપરે ગીરવે મૂકેલી મિલકત સંબંધી દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત રહેશે.

ડેવલપરે મહારેરામાં રજિસ્ટર્ડ પ્રોજેક્ટમાંના ઘર અથવા મિલકત પર લોન લીધી હશે અથવા ઘર તેમ જ મિલકત ગિરવી મૂકી હશે તો અંગેના સેન્ટ્રલ રજિસ્ટ્રી સિક્યુરિટાઈઝેશન ઍસેટ રિકન્સ્ટ્રકશન ઍન્ડ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ ઓફ ઈન્ડિયા (સીઈઆરએસએઆઈસી) દસ્તાવેજો મહારેરાને રજૂ કરવાનું ફરજિયાત કરાયું છે.

આજથી પંચપર્વની શરૂઆત: ધનતેરસના દિવસે આ સમયે કરો સોના-ચાંદીની ખરીદી, જાણો શુભ મુહૂર્ત

મહારેરાના આ પગલાને કારણે ઘર પર લોન લેવામાં આવી છે કે અથવા તે ઘર ગીરવે તો નથી મુકાયું તેની તમામ માહિતી ગ્રાહકોને મળી રહેશે. તેમજ તેને કારણે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી પર પણ અંકુશ આવશે.

મહારેરા પાસે રજીસ્ટ્રેશન કરતી વખતે હાઉસિંગ પ્રોજેક્ટ પર લોન લીધી છે કે પ્રોજેક્ટના ઘર ગિરવે મુકાયા છે એની માહિતી ડેવલપરે આપવાની હોય છે. આ માહિતી તેણે એફિડેવિડ કરીને આપવાની હોય છે. જોકે તેણે આપેલી માહિતી સાચી છે કે નહીં તેની કોઈ ખાતરી હોતી નથી. તેને કારણે ઘર ખરીદનાર ગ્રાહક છેતરાઈ જતો હોય છે. તેથી ડેવલપર પાસેથી સાચી અને કાયદેસર માહિતી મળે તે માટે મહારેરાએ સીઈઆરએસએઆઈ દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત કર્યું છે

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version