ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
થોડા દિવસમાં monsoon આવી પહોંચશે. આ પરિસ્થિતિમાં વરસાદથી બચવા માટે અને હાલમાં જે વાવાઝોડું આવ્યું હતું તે સમય દરમિયાન ઘરની મરામત માટે જરૂરી એવી વસ્તુ ને સરકારે અતિ આવશ્યક સેવા માં શામેલ કરી દીધી છે.
સરકારે બહાર પાડેલા નિયમ મુજબ હવે છત્રી અને તાડપત્રી નો ધંધો કરનાર અતિ આવશ્યક સેવામાં સામેલ રહેશે. આ ઉપરાંત monsoon માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું ઉત્પાદન કરવા વાળી ફેક્ટરીઓ તેમજ તેનું વેચાણ કરનાર દુકાનોને પણ હવે વ્યવસાય માટે છૂટ મળશે. આ ઉપરાંત જે વેપારી lockdown ના નિયમનું ઉલ્લંઘન કરીને અન્ય વસ્તુઓ વેચશે તેને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.
