Site icon

કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે આ પાંચ રાજ્યમાંથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર પરીક્ષણ ફરજીયાત કર્યું. જાણો વિગતે..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રની ઠાકરે સરકારે કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કડક પગલા લીધા છે. મહારાષ્ટ્ર સરકારે હવે ગોવા, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને કેરળ પાંચ રાજ્યોના મુસાફરો માટે પ્રવેશ પ્રતિબંધિત કરી દીધો છે.

સત્તાવાર અહેવાલો અનુસાર, કેરળમાં હવે દેશમાં સૌથી વધુ COVID-19 કેસ છે, અને મહારાષ્ટ્રમાં બીજા ક્રમે છે. આથી, કેરળ અને અન્ય ચાર રાજ્યોના પ્રવાસીઓએ હવે પ્રસ્થાનના 72 કલાકની અંદર નકારાત્મક આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવું જરૂરી રહેશે.

જે મુસાફરોની આરટી-પીસીઆર તપાસ નકારાત્મક હશે તેઓ રાજ્યમાં પ્રવેશ કરી શકશે. તેથી, આ પાંચ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવનારાઓએ પણ તેમની સાથે કોરોના રિપોર્ટ લાવવો પડશે. રેલવે મુસાફરોને મુસાફરી પહેલાં 96 કલાકની અંદર પરીક્ષણ કરાવવું જરૂરી છે. જો તમે કોઈ રિપોર્ટ તમારી સાથે લઈ જતા નથી, તો તમને રેલ્વે સ્ટેશન પર તપાસવામાં આવશે. તદુપરાંત, કોવિડ લક્ષણોવાળા તે મુસાફરોએ એન્ટિજેન પરીક્ષણ પણ કરાવવું પડશે, અને જે મુસાફરમાં કોરોનાના લક્ષણ દેખાશે તેમને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાશે.

Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!
Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Exit mobile version