Site icon

બંગાળમાં ભાજપના બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું; વિધાનસભામાં સંખ્યાબળ ૭૫ પર પહોંચ્યું, જાણો વિગત…

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

હાલમાં જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તૃણમૂલ કોંગ્રેસે ૨૧૧ બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી. આ ચૂંટણી મમતા બેનર્જી માટે ઘણી મહત્ત્વની હતી, કારણ કે ભાજપે આ ચૂંટણી માટે એક મોટી ટીમ ઊભી કરી હતી. ભાજપને ૭૭ બેઠકો મળી હતી. હવે ભાજપના બે વિજેતા ઉમેદવારોએ રાજીનામું આપી દીધું છે અને ભાજપના ઉમેદવારોની સંખ્યા ૭૫ પર પહોંચી ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસે આ અંગે ભાજપની ટીકા કરી છે.

નિશિત પ્રમાનિક અને જગન્નાથ સરકાર બંને ભાજપના સાંસદ છે. તેમ છતાં તેમને વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ પણ આપવામાં આવી હતી. ભાજપ દ્વારા બંગાળમાં સત્તા લાવવાનો આ પ્રયાસ હતો. તેમણે આ બંનેને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા અને બતાવ્યું હતું કે ભાજપ દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય છે. જોકેહવે ભાજપને આખા રાજ્યમાં અપેક્ષિત સફળતા મળી નથી. તેથી આ બે ઉમેદવારોએ સાંસદ તરીકે રાજીનામું આપવાને બદલે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. પરિણામે ભાજપે બે બેઠકો ગુમાવી છે.

આ કુખ્યાત ડોન કોરોનાથી બાલ બાલ બચી ગયો. જાણો વિગતે..

રાણાઘાટના ભાજપના સાંસદ જગન્નાથ સરકારે મીડિયાને કહ્યું હતું કે “બંગાળમાં ભાજપે અપેક્ષિત સફળતા હાંસલ કરી નથી. જો ભાજપે સરકાર બનાવી હોત તો અમારી વિશેષ ભૂમિકા હોત.” હવે આ સ્થિતિ નથી, તેથી પાર્ટીએ તેમને સંસદમાં રહેવાનું સૂચન કર્યું છે. તે અનુસાર આ બંને ઉમેદવારોએ રાજીનામું આપ્યું છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version