Site icon

આઘાતજનક! શું જંગલના રાજાની વસ્તી ઘટી રહી છે? છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં આટલા સિંહના થયા મોત.. જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

પૂરા ભારતમાં સિંહોની સૌથી વધુ વસ્તી ગુજરાતમાં હોવાનું કહેવાય છે. એક તરફ ગુજરાતમાં સિંહની વસ્તી વધી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે વચ્ચે છેલ્લા બે વર્ષમાં 283 સિંહના મોત થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.

ગુજરાતમાં  હાલ 674 સિંહો વસવાટ કરી રહ્યા હોવાનું સરકારે જાહેર કર્યું છે. તે વચ્ચે છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી અને કુદરતી રીતે 283 સિંહના મૃત્યુ થયાં હોવાની માહિતી બહાર આવી છે.

ગુજરાત વિધાનસભામાં વન વિભાગે આપેલા જવાબ મુજબ 31 ડિસેમ્બર, 2021ના ગીર અભયારણ્યમાં 345 અને ગીર અભ્યારણ ની બહાર 329 સિંહની વસ્તી છે, જેમાં 206 નર, 309 માદા, 29 બચ્ચા અને 130 વણઓળખાયેલા સિંહ મળીને કુલ 674 સિંહની વસ્તી છે.

છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 સિંહોના અને કુદરતી રીતે 254 સિંહોના મળીને કુલ 283 સિંહોના મોત થયા છે, જેમાં 142 જેટલા બચ્ચાઓનો સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રિક શોક, કૂવામાં પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી અને રોડ-રેલવે એક્સિડન્ટ અકુદરતી રીતે સિંહોના મોત થયા હતા. 

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસની કારમી હાર બાદ નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું, પત્રમાં લખ્યા ફક્ત આ પાંચ શબ્દો; જાણો વિગતે 

Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Exit mobile version