Site icon

જમ્મુ કાશ્મીરમાં બે દિવસમાં બે સરપંચો પર હુમલો, 24 કલાકમાં ભાજપના 4 નેતાઓએ પાર્ટી છોડી …

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Community

07 ઓગસ્ટ 2020

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકની અંદર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ચાર નેતાઓએ રાજીનામું આપી દીધું છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપના સરપંચો અને નેતાઓની જે રીતે હત્યા થઇ રહી છે એ જોતાં 4 નેતાઓએ ભાજપમાંથી રાજીનામાં આપ્યાં હોવાનું કહેવાય છે.

ગઇકાલે ભાજપના વધુ એક સરપંચે કુલગામના દેવસારથી રાજીનામું આપ્યું છે. આ અગાઉ ભાજપના 3 નેતાઓ સબઝાર અહેમદ પાદર, નિસાર અહેમદ વાની અને આશિક હુસેન પાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

સબઝાર અહેમદ પાદર, નિસાર અહેમદ વાની અને આશિક હુસેન પાલાએ અંગત કારણોસર ભાજપ છોડવાનું કહ્યું હતું અને જણાવ્યું હતું કે આજ પછી તેઓનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈક કારણસર તેમની લાગણી દુભાય છે, તો તેઓ આ માટે માફી માંગે છે.

ભાજપના નેતાઓના રાજીનામા પાછળનું કારણ કુલગામમાં સરપંચ પરના ખૂની હુમલો કારણ માનવામાં આવી રહ્યું છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ના સરપંચ સજાદ અહમદ ઉપર કુલગામ જિલ્લાના કાજીગુંડ બ્લોકના વેસુ ગામમાં હુમલો થયો હતો. ભાજપના સરપંચને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ભાજપના સરપંચ સજાદ અહમદની હત્યાના થોડા કલાકો પૂર્વે ભાજપના જ આરીફ અહેમદ ઉપર કાઝીગુંડ અખારણમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આરીફ અહેમદ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. સરપંચો ઉપર હુમલો થતાં ભાજપના નેતાઓમાં ભયનું વાતાવરણ છે…. 

જોકે, રાજીનામું આપનારા નેતાઓનું કહેવું છે કે તેમની વ્યસ્તતાને કારણે તેઓ ભાજપની પ્રવૃત્તિઓ ચલાવવા માટે સમય કાઢવામાં અસમર્થ છે, તેથી તેઓએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version