Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યુ નિશાન, કહ્યું -‘બાલાસાહેબ ઠાકરેએ જો ત્યારે પીએમ મોદીને બચાવ્યા ના હોત તો…’

Uddhav Thackeray Asks PM Modi To Recall His Difficult Day

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યુ નિશાન, કહ્યું -'બાલાસાહેબ ઠાકરેએ જો ત્યારે પીએમ મોદીને બચાવ્યા ના હોત તો...'

News Continuous Bureau | Mumbai

શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પર નિશાન સાધ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આટલે સુધી ન પહોંચી શક્યા હોત જો બાળ ઠાકરેએ તેમને બચાવ્યા ન હોત, જ્યારે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને “રાજધર્મ” અનુસરવાનું કહ્યું હતું.

Join Our WhatsApp Channel

ઠાકરેએ ભાજપ પર હિન્દુઓમાં તિરાડ પેદા કરવાનો આરોપ લગાવ્યો

તેમણે કહ્યું કે શિવસેનાએ 25-30 વર્ષ સુધી રાજકીય નેતૃત્વનું રક્ષણ કર્યું, પરંતુ તેઓ (ભાજપ) ભૂતપૂર્વ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના સહયોગી શિવસેના અને અકાલી દળને જોઈતા ન હતા. મુંબઈમાં ઉત્તર ભારતીયોની એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે હું ભાજપથી અલગ થઈ ગયો, પરંતુ મેં ક્યારેય હિન્દુત્વ છોડ્યું નથી. ભાજપ હિન્દુત્વ નથી. હિન્દુત્વ શું છે, ઉત્તર ભારતીયો જવાબ માંગે છે. એકબીજાને નફરત કરવી એ હિન્દુત્વ નથી. ઠાકરેએ ભાજપ પર હિન્દુઓમાં તિરાડ પેદા કરવાનો આરોપ લગાવ્યો.

ભાજપને અકાલી દળ અને શિવસેના જોઈતી ન હતી 

તેમણે કહ્યું કે શિવસેનાએ 25-30 વર્ષ સુધી રાજકીય મિત્રતાનું રક્ષણ કર્યું. હિન્દુત્વ એટલે આપણી વચ્ચે હૂંફ. તેઓ (ભાજપ) કોઈને જોઈતા ન હતા. તેઓ અકાલી દળ અને શિવસેના ઈચ્છતા ન હતા. ઠાકરેએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીને ‘રાજધર્મ’ અનુસરવા માટે વાજપેયીના ઉપદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ જ વર્તમાન વડાપ્રધાનને બચાવ્‍યા હતા. કારણ કે તત્‍કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઇચ્‍છતા હતા કે ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી રાજધર્મનું પાલન કરે, પરંતુ બાળાસાહેબે આ સમયની જરૂરિયાત હોવાનું કહીને દરમિયાનગીરી કરી હતી. જો એવું ન થયું હોત તો તેઓ (મોદી) અહીં ન પહોંચ્‍યા હોત.

તેમણે કહ્યું કે હિંદુ હોવાનો અર્થ ક્યારેય મરાઠી હોવાનો અને ઉત્તર ભારતીયોને નફરત કરવાનો નથી. બાળાસાહેબ ઠાકરેએ ક્યારેય હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદ કર્યો નથી. તેમનું માનવું હતું કે જે લોકો દેશની વિરુદ્ધ કામ કરે છે, તેઓ ભલે કોઈપણ ધર્મના હોય, તેમને સજા મળવી જોઈએ. અને આ આપણું હિન્દુત્વ છે. ભાજપનો અર્થ હિન્દુત્વ નથી; હું તેમના હિંદુત્વના સંસ્કરણમાં માનતો નથી.

મારી ગરિમા બચાવવા માટે ભાજપથી અલગ થયા

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે તેમની ગરિમા બચાવવા માટે ભાજપ સાથે જોડાણ તોડ્યું અને 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી મહા વિકાસ અઘાડી (MVA) બનાવવા માટે NCP અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા..

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version