Uddhav Thackeray Hospitalized: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા દાખલ.. જાણો શું થયું છે તેમને ??

Uddhav Thackeray Hospitalized Former Maharashtra CM Uddhav Thackeray hospitalized in Mumbai’s Reliance Hospital

News Continuous Bureau | Mumbai

Uddhav Thackeray Hospitalized: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી નથી.  શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડતાં તેમને મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની રશ્મિ ઠાકરે પણ હાજર હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Uddhav Thackeray Hospitalized આવતીકાલે અથવા પરમ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે વધુ એક દિવસ હોસ્પિટલમાં રહી શકે છે. તેમને મંગળવારે સાંજે અથવા બુધવારે રજા આપી શકાય છે. એન્જીયોપ્લાસ્ટી બાદ ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી હોવાનું કહેવાય છે.

Uddhav Thackeray Hospitalized ડોક્ટરોએ શું કહ્યું  

ડોક્ટરોની ટીમનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. ઉદ્ધવ ઠાકરે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે. આવી સ્થિતિમાં તેમના સમર્થકોનું કહેવું છે કે સારવાર બાદ તેઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર શરૂ કરશે.

Uddhav Thackeray Hospitalized:પહેલા પણ થઈ ચૂકી છે એન્જીયોપ્લાસ્ટી 

આ પહેલા પણ વર્ષ 2014માં ઉદ્ધવ ઠાકરેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યારે ડોકટરોએ તેના હૃદયની ત્રણ મુખ્ય ધમનીઓમાં બ્લોકેજ દૂર કરવા માટે 8 સ્ટેન્ટ નાખ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Uddhav Thackeray Raj Thackeray: ઉદ્ધવ ઠાકરેની ગાડી પર ગાયનું ગોબર અને નાળિયેર ફેંકવામાં આવ્યા.. રાજ ઠાકરેએ વિડીયો કોલ લગાડ્યો..

Uddhav Thackeray Hospitalized: એન્જીયોપ્લાસ્ટી શું છે?

હૃદયની ધમનીઓના રોગમાં ધમનીઓ સાંકડી થઈ જાય છે આથી લોહી વહેવામાં અને તેને હૃદય સુધી પહોંચવામાં અવરોધ પેદા થતાં હૃદયને લોહી મળતું અટકી જાય છે. એન્જિયોપ્લાસ્ટી વડે રૂંધાયેલી નળીઓ ખોલીને તેને વધારે લોહી પહોંચતુ કરી શકાય છે. એન્જિયોપ્લાસ્ટી એ બીમાર હૃદયને નવપલ્લવિત કરતી ચમત્કારિક  ’પ્રોસિજર’ છે. આ ઓપરેશનમાં 30 થી 60 મિનિટનો સમય લાગે છે અને 90 થી 95 ટકા દર્દીઓમાં શસ્ત્રક્રિયાની જરૂરીયાતને દૂર કરે છે.