Site icon News Continuous Bureau | Mumbai

ગુવાહાટી પહોંચ્યા બાદ પ્રથમવાર મીડિયા સામે આવ્યા એકનાથ શિંદે- મુંબઈ પરત આવવાના સંકેત આપ્યા- શિવસેનાને લઈને કહી આ વાત

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ(Political crisis) વચ્ચે ગુવાહાટીમાં(Guwahati) બેસી ઠાકરે સરકાર(Thackeray government) સામે મોર્ચો ખોલનાર એકનાથ શિંદે(Eknath Shinde) પ્રથમવાર મીડિયા સામે આવ્યા છે. આ દરમિયાન તેમણે જલદી મુંબઈ પરત આવવાના સંકેત આપ્યા છે. 

આજે મહારાષ્ટ્ર સરકારના બળવાખોર નેતા(Rebel leader) એકનાથ શિંદે((Eknath Shinde) ગુવાહાટીની હોટલમાંથી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે શિવસેનામાં(Shivsena) છીએ અને શિવસેનામાં જ રહીશું. અમે બાળાસાહેબની(Balasaheb) હિંદુત્વ(Hindutva) વિચારધારા સાથે આગળ વધીશું. સાથે તેમણે કહ્યું કે અમે જલદી મુંબઈ જશું. એકનાથ શિંદેએ દાવો કર્યો કે તેમની સાથે કુલ 48 ધારાસભ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં નવી સરકારને લઈને હલચલ તેજ-દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા થયા રવાના

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો અનુસાર એકનાથ શિંદે મુંબઈમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને(Governor Bhagat Singh Koshyari) મળી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ(BJP) સાથે મળીને સરકાર બનાવવાની શક્યતાઓ પર પણ અટકળો તેજ થઈ ગઈ છે. દરમિયાન એવા અહેવાલો પણ છે કે ભાજપે તેના તમામ ધારાસભ્યોને 29 જૂન સુધી મુંબઈ બોલાવ્યા છે.

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version