Site icon

તું યોગી નથી, તું ભોગી છે; તને ચંપલથી મારવો જોઈએ; ઉદ્ધવ ઠાકરેનો વીડિયો વાયરલ થયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના જૂના અને વાંધાજનક નિવેદનની ચર્ચાએ ફરી વેગ પકડ્યું છે. ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ એક આપત્તિજનક નિવેદન આપ્યું હતું. મે 2018માં મહારાષ્ટ્રના પાલઘરમાં ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે યોગીને ચંપલથી મારવાની વાત કહી હતી. એ દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધોમાં તિરાડ હતી.

હકીકતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે યોગી આદિત્યનાથે શિવાજીની પ્રતિમાને માળા પહેરાવતી વખતે ચંપલ પહેરી રાખ્યા હતા. તેમણે આવું કરીને શિવાજીનું અપમાન કર્યું હતું. તેમણે આગળ કહ્યું હતું કે આ યોગી ગૅસના બલૂન જેવા છે, જે માત્ર હવામાં ઊડતો રહે છે. આવ્યા અને સીધા મહારાજ પાસે ચંપલ પહેરીને ગયા.એવું લાગી રહ્યું છે કે મારે તેમને એ જ ચંપલથી મારવું જોઈએ.

થપ્પડ કી ગુંજ : કોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને બે-શરત ઉપર રાણેને જામીન આપ્યા, જાણો જામીનની શરતો

મુખ્ય પ્રધાન ઠાકરેના આ નિવેદન બાદ યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સત્યને જાણતા નથી. તેમને ઉદ્ધવ ઠાકરે પાસેથી શિષ્ટાચાર શીખવાની જરૂર નથી. મારી અંદર તેમના કરતાં વધારે શિષ્ટાચાર રહેલો છે અને હું વધુ સારી રીતે જાણું છું કે શ્રદ્ધાંજલિ કેવી રીતે આપવી જોઈએ. મારે તેમની પાસેથી કશું શીખવાની જરૂર નથી. નારાયણ રાણેની ધરપકડ બાદ હવે ઠાકરેનું આ નિવેદન ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે.

 

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version