Site icon

તું યોગી નથી, તું ભોગી છે; તને ચંપલથી મારવો જોઈએ; ઉદ્ધવ ઠાકરેનો વીડિયો વાયરલ થયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના જૂના અને વાંધાજનક નિવેદનની ચર્ચાએ ફરી વેગ પકડ્યું છે. ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ એક આપત્તિજનક નિવેદન આપ્યું હતું. મે 2018માં મહારાષ્ટ્રના પાલઘરમાં ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે યોગીને ચંપલથી મારવાની વાત કહી હતી. એ દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધોમાં તિરાડ હતી.

હકીકતમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે યોગી આદિત્યનાથે શિવાજીની પ્રતિમાને માળા પહેરાવતી વખતે ચંપલ પહેરી રાખ્યા હતા. તેમણે આવું કરીને શિવાજીનું અપમાન કર્યું હતું. તેમણે આગળ કહ્યું હતું કે આ યોગી ગૅસના બલૂન જેવા છે, જે માત્ર હવામાં ઊડતો રહે છે. આવ્યા અને સીધા મહારાજ પાસે ચંપલ પહેરીને ગયા.એવું લાગી રહ્યું છે કે મારે તેમને એ જ ચંપલથી મારવું જોઈએ.

થપ્પડ કી ગુંજ : કોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને બે-શરત ઉપર રાણેને જામીન આપ્યા, જાણો જામીનની શરતો

મુખ્ય પ્રધાન ઠાકરેના આ નિવેદન બાદ યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સત્યને જાણતા નથી. તેમને ઉદ્ધવ ઠાકરે પાસેથી શિષ્ટાચાર શીખવાની જરૂર નથી. મારી અંદર તેમના કરતાં વધારે શિષ્ટાચાર રહેલો છે અને હું વધુ સારી રીતે જાણું છું કે શ્રદ્ધાંજલિ કેવી રીતે આપવી જોઈએ. મારે તેમની પાસેથી કશું શીખવાની જરૂર નથી. નારાયણ રાણેની ધરપકડ બાદ હવે ઠાકરેનું આ નિવેદન ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે.

 

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version