Site icon

 ખતરાની ઘંટી..પંજાબમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ઇંગ્લેન્ડ નો વાયરસ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

    દેશના પંજાબ રાજ્યમાં કોરોના નો જ એક પ્રકાર એવો યુ.કેનો strain લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. પંજાબ રાજ્યમાં 401 લોકોના બ્લડ સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા હતા. તેમાંથી 81 ટકા લોકોના સેમ્પલમાં આ યુ.કે સ્ટ્રેન જોવા મળ્યો હતો.જે ચિંતાજનક બાબત છે.

     પંજાબના મુખ્યમંત્રી અમરેન્દ્ર સિંહે મંગળવારે ત્યાંની જનતાને વહેલામાં વહેલી તકે કોરોના વેક્સિન લઈ લેવા માટે વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેક્સિન લેવાની વયમર્યાદાને ઘટાડવાનું સૂચન પણ કર્યું હતું.કારણ પંજાબમાં ખાસ કરીને યુવા વર્ગમાં જ આ યુ. કે. સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે.

આખરે મહારાષ્ટ્રના વધુ એક જિલ્લામાં લોકડાઉન લાગ્યું. સરકારે લીધો કડક નિર્ણય.
 

    પંજાબના મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે પંજાબની વધારેમાં વધારે જનતા વેક્સિન લઈ શકે એ માટે કેન્દ્ર સરકારે અતિ આવશ્યક પગલાં ભરવા જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ કોવીશીલ્ડ  વેક્સિન યુ.કે. સ્ટ્રેન માટે પણ અસરકારક છે.

   આ ઉપરાંત પંજાબ ના મુખ્યમંત્રીએ માસ્ક પહેરવા અને સોશિયલ distance ના નિયમો ને પાળવા પર પણ જોર લગાવ્યું હતું.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version