Site icon News Continuous Bureau | Mumbai

લ્યો બોલો… અધધ 1700 કરોડનો બ્રિજ એક ચોમાસુ ન ખમી શક્યો! બિહાર ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ થયો ધરાશાયી.. જુઓ વિડીયો

કહેવાય છે કે આ બ્રિજ 1717 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે નિર્માણાધીન બ્રિજનો એક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બની રહેલા પુલનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. પુલનો ઉપરનો ભાગ નદીમાં પડી ગયો છે.

Under-construction bridge collapses in Bihar, no casualties reported

લ્યો બોલો… અધધ 1700 કરોડનો બ્રિજ એક ચોમાસુ ન ખમી શક્યો! બિહાર ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ થયો ધરાશાયી.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન બ્રિજ ફરી એકવાર જમીનદોસ્ત થઈ ગયો છે. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. બ્રિજના પિયર નંબર 10, 11, 12 ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર અગવાણી બાજુથી તૂટી ગયું છે, જે લગભગ 200 મીટરનો ભાગ હશે. જો કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

Join Our WhatsApp Channel

ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે નિર્માણાધીન પુલ તૂટી પડવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નિર્માણાધીન બ્રિજનો ઉપરનો ભાગ ધરાશાયી થતો જોવા મળી રહ્યો છે. પુલ તૂટી પડ્યા બાદ આખો પુલ ગંગા નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે બે વર્ષ પહેલા પણ આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે ચાર વર્ષ પહેલા આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલના અકસ્માતે બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા છે. તો સત્તાધારી વિપક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.

આ સમાચાર પણ વાંચો : Water Crisis : મુંબઈકરો પાણીનો વપરાશ સંભાળીને કરજો, શહેરમાં પાણી પૂરું પાડતાં જળાશયોમાં માત્ર આટલા ટકા જ જથ્થો બચ્યો..

સદનસીબે પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ પુલ તૂટી પડતાં ઘટનાસ્થળે અને વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Thane Banner Incident થાણેના તીન હાથ નાકા પર ફૂટ ઓવર બ્રિજ પરથી પડ્યું વિશાળ બેનર, બાઈક સવાર માંડ માંડ બચ્યો; જુઓ વિડીયો
Ambaji Temple Donation Theft મંદિરો કેટલા સુરક્ષિત? અયોધ્યા બાદ હવે અંબાજીમાં પણ દાન ચોરીનો મામલો, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર પ્રશ્નો.
Maharashtra Weather રાહત કે મુસીબત? મહારાષ્ટ્રમાં ચોમાસું પડ્યું નબળું, આ અઠવાડિયું કોરું રહેવાની શક્યતા; ગરમી અને બફારો વધશે
Exit mobile version