ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓગસ્ટ, 2021
મંગળવાર
કોરોનાને પગલે દેશના આર્થિક તંત્રને તો ફટકો લાગ્યો છે, સાથે જ મોટા પ્રમાણમાં લોકો બેરોજગાર પણ બન્યા છે. 2 ઑગસ્ટ, 2021ના પીરિયોડિક લેબર ફોર્સે જાહેર કરેલા તાજા રિપૉર્ટ મુજબ મહારાષ્ટ્રમાં જુલાઈ-સપ્ટેમ્બર 2020 દરમિયાન શહેરી બેરોજગારનો દર 22.6% રહ્યો હતો. મહારાષ્ટ્રના જુદાં-જુદાં શહેરોમાં પુરુષોમાં બેરોજગારીનો દર 20.3 ટકા અને મહિલાઓનો બેરોજગારી દર 29.9 ટકા રહ્યો છે. આ દર કોરોના મહામારીને પગલે રાષ્ટ્રીયદર 13.2 ટકા કરતાં વધુ હોવાની સાથે જ દેશનાં અન્ય શહેરો કરતાં પણ વધુ રહ્યો છે.
ઔરંગાબાદમાં રસીના કાળાબજારનો પર્દાફાશ, 300 રૂપિયા ચૂકવો, રસીકરણ કરાવો; આરોગ્યપ્રધાને આપ્યા આ આદેશ
જુલાઈ-સપ્ટેમ્બર 2020 દરમિયાન મહારાષ્ટ્રમાં 15થી 29 વર્ષની ઉંમરના લોકોમાં બેરોજગારી દર 34.8 ટકા રહ્યો હતો. એમાં 32.6 ટકા પુરુષ અને 40.8 ટકા મહિલાઓ બેરોજગાર થઈ હતી. કોરોનાને પગલે બેરોજગારી દર આટલો ઊંચો હોવાનું માનવામાં આવે છે.