મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની સ્પષ્ટ વાત : હવે લોક ડાઉન નું અનલોક નહીં થાય

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ જૂન 2021

શુક્રવાર

મહારાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટ એ પોતાની હાજરી પુરાવી દીધી છે. પરિણામ સ્વરૂપ હવે આ વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ વાયરસની સૌથી ગંભીર વાત એ છે કે તે ઝડપથી ફેલાતો નથી પરંતુ તે અનેક ગણો ઘાતક છે. આ વાયરસ શરીરમાં પ્રવેશતાની સાથે જ એન્ટિબોડીઝ ઝડપથી ઘટવા માંડે છે. પરિણામ સ્વરૂપ દર્દીની હાલત ક્રિટીકલ થઈ જાય છે. કોરોના ના આ નવા સ્વરૂપને કારણે અનેક દેશોમાં સમસ્યા સર્જાઈ ચૂકી છે.

આ પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય લીધો છે કે હવે વધુ unlock સંદર્ભે ત્વરિત નિર્ણય નહીં લેવામાં આવે. આટલું જ નહીં જે કલેકટર હવે નિયંત્રણ વધુ હળવા કરવા વિશે વિચારશે તેણે આ નિર્ણય ઝપાટાભેર લેવો નહીં તેવું મુખ્યમંત્રી નું સૂચન છે.

આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન સંદર્ભે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. ડેલ્ટા વેરીયન્ટ આવતા પ્રતિબંધ લાગશે. જાણો વિગત

આ ઉપરાંત આરોગ્ય વિભાગને પણ સતર્ક રહેવા નો ઈશારો આપી દેવામાં આવ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More