મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની સ્પષ્ટ વાત : હવે લોક ડાઉન નું અનલોક નહીં થાય

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ જૂન 2021

શુક્રવાર

મહારાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટ એ પોતાની હાજરી પુરાવી દીધી છે. પરિણામ સ્વરૂપ હવે આ વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ વાયરસની સૌથી ગંભીર વાત એ છે કે તે ઝડપથી ફેલાતો નથી પરંતુ તે અનેક ગણો ઘાતક છે. આ વાયરસ શરીરમાં પ્રવેશતાની સાથે જ એન્ટિબોડીઝ ઝડપથી ઘટવા માંડે છે. પરિણામ સ્વરૂપ દર્દીની હાલત ક્રિટીકલ થઈ જાય છે. કોરોના ના આ નવા સ્વરૂપને કારણે અનેક દેશોમાં સમસ્યા સર્જાઈ ચૂકી છે.

આ પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય લીધો છે કે હવે વધુ unlock સંદર્ભે ત્વરિત નિર્ણય નહીં લેવામાં આવે. આટલું જ નહીં જે કલેકટર હવે નિયંત્રણ વધુ હળવા કરવા વિશે વિચારશે તેણે આ નિર્ણય ઝપાટાભેર લેવો નહીં તેવું મુખ્યમંત્રી નું સૂચન છે.

આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન સંદર્ભે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. ડેલ્ટા વેરીયન્ટ આવતા પ્રતિબંધ લાગશે. જાણો વિગત

આ ઉપરાંત આરોગ્ય વિભાગને પણ સતર્ક રહેવા નો ઈશારો આપી દેવામાં આવ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More