News Continuous Bureau | Mumbai
Unseasonal Rains : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૩,૧૪ અને ૧૫ એપ્રિલના રોજ સુરત ( Surat ) જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે હળવા/સામાન્ય વરસાદની આગાહી હોય આ સમયે વાદળછાયા વાતાવરણને કારણે પાકના રક્ષણ માટે ખેડૂતો ( Farmers ) ને તકેદારીના ભાગરૂપે ઉચિત પગલાં લેવા જણાવાયું છે. કમોસમી વરસાદ ( Unseasonal Rain ) થી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદ ( rain ) નું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. સાથે જ આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
એપીએમસી વેપારી અને ખેડુત મિત્રોએ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા
એપીએમસી વેપારી અને ખેડુત મિત્રોએ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ત્યાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી /તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત,સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Loksabha election 2024: મતદાન જાગૃતિ માટે સુમુલ ડેરીનો અનોખો પ્રયાસ, રોજની અધધ આટલા લાખ થેલીઓ થકી પહોંચાડે છે મતદાન જાગૃતિ નો સંદેશ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.