Site icon

યુપીમાં ધર્મ બદલવા માટે બે મહિના પહેલા DM ને માહિતી આપવી પડશે, ઉલ્લંઘન બદલ ત્રણ વર્ષની થશે સજા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

25 નવેમ્બર 2020 

હાલ દેશમાં ધર્મ અથવા બળજબરીથી ધર્મ પરિવર્તનને કારણે થતાં લગ્નને લઈને તણાવપૂર્ણ ​​વાતાવરણ છે. એવા સમયે ઉત્તર પ્રદેશના મુ.પ્ર. યોગી આદિત્યનાથની અધ્યક્ષતાવાળી રાજ્ય મંત્રીમંડળે લવ જેહાદને લઈ નવા કાયદાને મંજૂરી આપી દીધી છે. લાલચ, જુઠ્ઠાણા કે દગાબાજી કરીને ધર્મ પરિવર્તન કરનારાઓ સાથે હવે સરકાર કડક કાર્યવાહી કરશે. 

યોગી કેબિનેટે 'ધાર્મિક કન્વર્ઝન પ્રોહિબિશન ઓર્ડિનન્સ 2020 વિરુધ્ધ' કાયદાના મુસદ્દાને મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરીની સાથે જ આ કાયદો અમલમાં આવશે. એકવાર નવો કાયદો લાગુ થયા પછી આવા ગુના બિનજામીનપાત્ર રહેશે. એવી સ્પષ્ટત કરવામાં આવી છે. 

 

ધર્મ પરિવર્તનના બે મહિના પહેલા ડીએમને આની કાયદેસરની જાણ કરવી પડશે. વટહુકમ મુજબ એક ધર્મ માંથી બીજા ધર્મમાં, રૂપાંતરના તમામ પાસાઓ પર જોગવાઈઓ કરવામાં આવી છે. જે મુજબ બે મહિના અગાઉથી જિલ્લા મેજિસ્ટ્રેટને આની જાણ કરવાની રહેશે.  

 

સંબંધિત પક્ષોએ નિર્ધારિત સત્તા સમક્ષ જાહેર કરવું પડશે કે આ રૂપાંતર સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. સંબંધિત લોકોએ એમ કહેવું પડશે કે તેમના પર ક્યાંય પણ કોઈ પ્રકારની લાલચ કે દબાણ નથી. આ કાયદાનું ઉલ્લંઘન થશે તો છ મહિનાથી ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ ગુના માટે લઘુતમ દંડ 10,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે

Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Exit mobile version