Site icon

સાવધાન: ઉત્તર પ્રદેશમાં બન્યો લવ જેહાદ વિરુદ્ધ કાયદો.. ખોટી દાનતવાળાઓને થશે 10 વર્ષની જેલ… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 નવેમ્બર 2020

દેશમાં કોરોના બાદ હાલ વધુ એક મુદ્દો બહુ ચર્ચિત બન્યો છે. લવ જેહાદ અને વટાળ પ્રવૃત્તિ ને રોકવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથની કેબિનેટ દ્વારા એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. જેને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મંજૂરી આપતા હોવી આ કાયદો બની ગયો છે. 

Join Our WhatsApp Community

શનિવારે જબરજસ્તી અથવા "અપ્રમાણિક" ધાર્મિક રૂપાંતર સામેના વટહુકમને મંજૂરી આપી દીધી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.  ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર કન્વર્ઝન ઓફ રિલિજિન ઓર્ડિનેન્સ, 2020 નો પ્રતિબંધ રાજ્યપાલની મંજૂરીથી બહાર પાડવામાં આવ્યો છે. જેનો ભંગ કરનારાઓને 10 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. તેમજ આવા આંતર ધર્મીય લગ્ન કરનારાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે, નહીં તો લગ્નને "રદબાતલ" જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે, તાજેતરના સપ્તાહમાં, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા ભાજપ સંચાલિત રાજ્યોએ લગ્નના વેશમાં હિન્દુ મહિલાઓને ઇસ્લામમાં પરિવર્તિત કરવાના કથિત પ્રયાસોનો સામનો કરવા કાયદા ઘડવાની યોજના જાહેર કરી છે, જેને પાર્ટીના નેતાઓ વારંવાર 'લવ જેહાદ' કહે છે.

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version