Uttar Pradesh: હિંદુ ધર્મ અપનાવીને ફારિયાએ શિવ મંદિરમાં પ્રેમી સાથે લગ્ન કર્યા, કહ્યું- ટ્રિપલ તલાક અને હલાલાથી ડર લાગતો હતો.. જાણો વિગતે..

Uttar Pradesh: ફારિયા બાળપણથી જ હિન્દુ ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. તેને મુસ્લિમ સમુદાયમાં થતા ટ્રિપલ તલાક અને હલાલા જેવી ખરાબ પ્રથાઓએ ફરિયાના મનમાં ડર પેદા કર્યો હતો. તેથી તેણે ધર્મ બદલવાનું નક્કી કર્યું હતું.

by Hiral Meria
Uttar Pradesh After adopting Hinduism, Faria got married to her lover in Shiva temple, said- she was afraid of triple talaq and halala.

 News Continuous Bureau | Mumbai

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં શનિવારે મહંત યોગી સરોજનાથે બદાઉનની મુસ્લિમ યુવતી ફારિયા બીના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન બરેલીના ( Bareilly ) ભુટા પોલીસ સ્ટેશન વિસ્તારના ખજુરિયા સંપત ગામમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. આમાં ફારિયાએ પોતાનો ધર્મ બદલીને ( Religious Conversion ) હિંદુ ધર્મ અપનાવ્યો હતો અને તેનું નામ પણ ફરિયાથી બદલીને દુર્ગા રાખ્યું હતું. ફરિયાનું કહેવું છે કે હિંદુ ધર્મ અપનાવીને તેણે દિનેશને પોતાની મરજીથી જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. તે તેના પ્રેમી સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે.  

બદાઉનની રહેવાસી ફારિયા બીએ ( Muslim Woman ) એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, તે બાળપણથી જ હિન્દુ ધર્મમાં ( Hindu Religion ) વિશ્વાસ ધરાવે છે. તો મુસ્લિમ સમુદાયમાં ( Muslim community ) થતા ટ્રિપલ તલાક અને હલાલા જેવી ખરાબ પ્રથાઓએ ફરિયાના મનમાં ડર પેદા કર્યો હતો. તેથી તેણે ધર્મ બદલવાનું નક્કી કર્યું હતું. ફરિયા અને દિનેશ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાણી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષથી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. 

Uttar Pradesh: જ્યારે ફારિયાના પરિવારને આ વાતની જાણ થઈ તો તેમણે આ સંબંધ સ્વીકારવાની ના પાડી હતી…

 જ્યારે ફારિયાના ( Muslim Woman Conversion UP  ) પરિવારને આ વાતની જાણ થઈ તો તેમણે આ સંબંધ સ્વીકારવાની ના પાડી હતી. ફારિયા બીને ડર હતો કે તેનો પરિવાર તેના લગ્ન બીજે ક્યાંક કરી દેશે. આ કારણોસર તે એક મહિના પહેલા તેનું ઘર છોડીને તેના પ્રેમી પાસે આવી ગઈ હતી. બાદમાં બંનેએ વારાણસીના મંદિરમાં લગ્ન કર્યા હતા. આ પછી કોર્ટ મેરેજ કર્યા હતા. 

આ સમાચાર પણ વાંચો: Tax: કોર્પોરેટ એડવાન્સ ટેક્સમાં વધારાને કારણે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 20 ટકાનો વધીને કુલ રૂ. 5.74 લાખ કરોડ પર પહોંચી ગયો.. જાણો વિગતે..

ફારિયાના પ્રેમી દિનેશે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ નથી. શનિવારે યોગી સરોજ નાથના નેતૃત્વમાં ખજુરિયા સંપત ગામમાં ભગવાન શિવના મંદિરની સામે હવન કરીને અગ્નિને સાક્ષી સામે ફારિયાએ હિન્દુ ધર્મ ( Hinduism ) અપનાવ્યો હતો અને તેનું નામ બદલીને દુર્ગા દેવી રાખ્યું હતું અને તેના પ્રેમી દિનેશ સાથે લગ્ન કર્યા હતા.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More