2022 માં ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇને બીએસપી સાથે ગઠબંધનના સમાચારો પર એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
તેમણે કહ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 બેઠકો પર ઉમેદવારો ઉતારશે.
આ સાથે તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં તેમની પાર્ટી ઓમ પ્રકાશ રાજભારના મોરચા સાથે ચૂંટણી ક્ષેત્રે ભાગ્ય અજમાવશે.
નોંધનીય છે કે, ગત વર્ષની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એઆઈઆઈએમઆમે સીમાંચલની પાંચ બેઠકો જીતી હતી.
એક છોકરીની સફળતાની કહાની : ફક્ત ૧૪ વર્ષની ઉંમરે નાંદેડની આ છોકરીએ અમેરિકામાં વિમાન ઉડાડ્યું
