Uttar Pradesh Kanwar Yatra: યોગી સરકારે કાવડ યાત્રાના રૂટ પરના મુસ્લિમ દુકાનદારોના નામ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા.. જાણો વિગતે..

Uttar Pradesh Kanwar Yatra: કાવડ યાત્રા દરમિયાન દુકાનદારોના નામ જાહેર કરવા સંબંધિત કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે નિર્ણય પર સ્ટે ચાલુ રહેશે. યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્દેશોનો બચાવ કર્યો હતો.

by Bipin Mewada
Uttar Pradesh Kanwar Yatra Yogi Sarkar presented the names of Muslim shopkeepers on the route of Kanwar Yatra in the Supreme Court..

 News Continuous Bureau | Mumbai

Uttar Pradesh Kanwar Yatra: યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં ( UP Government ) પવિત્ર કાવડ યાત્રાના રૂટ પર ઢાબા જેહાદ ચલાવીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારા મુસ્લિમ ઢાબા ચાલકોના નામ સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court ) રજૂ કર્યા છે. હિન્દુ દેવી-દેવતાઓના નામે આ મુસ્લિમ ઢાબા ચાલકો હિન્દુ શ્રદ્ધાળુઓને છેતરવાનો ધંધો ચલાવતા હતા. યોગી સરકારે આ દુકાનના નામના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. યોગી સરકારે કોર્ટમાં કેટલીક દુકાનો અને તેના માલિકોના નામ જાહેર કર્યા હતા. અહીં એક દુકાનનું નામ પંડિત જી કા ઢાબા છે, પરંતુ દુકાનનો માલિક મુસ્લિમ છે. રાજા રામ ભોજ ફેમિલી ટુરિસ્ટ ઢાબાના નામથી ઢાબા ચલાવનાર દુકાનદારનું નામ વસીમ છે. તો રાજસ્થાની ખાલસા ઢાબાના માલિકનું નામ ફુરકાન છે, પંડિત જી વૈષ્ણો ઢાબાના માલિકનું નામ સનવ્વર રાઠૌડ છે. 

 Uttar Pradesh Kanwar Yatra:  ઢાબા સંચાલકો જાણીજોઈને ઢાબાનું નામ હિંદુ દેવી દેવતાઓ અને હિંદુ સંબંધિત રાખે છે…

યોગી સરકારે ( Yogi Adityanath ) સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે કાવડ યાત્રાના રૂટ પરના ઢાબા સંચાલકો ( Kanwar Yatra Shop Names ) જાણીજોઈને ઢાબાનું નામ હિંદુ દેવી દેવતાઓ અને હિંદુ સંબંધિત રાખે છે અને શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ સાથે રમત કરીને ધંધો કરી રહ્યા છે. કાવડ યાત્રા દરમિયાન ઉઘાડપગું પવિત્ર જળ વહન કરતા કરોડો હિંદુ શ્રદ્ધાળુઓની ( Hindu devotees ) ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે માટે યોગી સરકારે નિર્દેશ આપ્યો હતો કે કાવડ યાત્રાના રૂટ પરની દુકાનો પર માલિકોના નામ સ્પષ્ટ રીતે લખવામાં આવે. પરંતુ કેટલાક મુસ્લિમો આની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી હતી, પરંતુ હવે યોગી સરકારે કોર્ટમાં હિંદુ દેવી-દેવતાઓ અને તેમના માલિકોના નામ ધરાવતા ઢાબાઓની યાદી રજૂ કરી છે, જેમાં માલિક મુસ્લિમ શખ્સ છે. દુકાનોની બહાર ઢાબાના માલિકનું નામ લખવા સૂચના આપવામાં આવી હતી. યોગી સરકારે કલમ 71 હેઠળ સુમેળ જાળવવા માટે કાયદો અને વ્યવસ્થાની સાવચેતી તરીકે આ નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો  :  Surat : સુરત શહેર-જિલ્લામાં ઉંદર પકડવાની જાળ(ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

Uttar Pradesh Kanwar Yatra: યોગી સરકારે વહેલી સુનાવણીની માંગ કરી, પછી મળ્યો આ જવાબ

દરમિયાન કાવડિયાઓના ( Kanwariyas ) એક જૂથ વતી અરજી પણ દાખલ કરવામાં આવી છે. યોગી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે રાજ્ય સરકારના નિર્દેશો પર એકતરફી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મામલે જલ્દી સુનાવણી થવી જોઈએ, નહીં તો યાત્રા પૂરી થઈ જશે.

જવાબમાં અરજદારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ આદેશ 60 વર્ષથી આવ્યો નથી. જો આ વર્ષે તેનો અમલ નહીં થાય તો કંઈ ખોટું નહીં થાય. કોર્ટે વિગતવાર સુનાવણી કરીને નિર્ણય લેવો જોઈએ

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More