News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આજે કેબિનેટની બેઠક બાદ સીએમ પુષ્કર સિંહ ધામીએ રાજીનામું રાજ્યપાલ ગુરમીત સિંહને સોંપ્યું છે.
જોકે, રાજ્યપાલે તેમને નવી સરકાર ન બને ત્યાં સુધી કામ કરતા રહેવા કહ્યું છે.
રાજીનામું આપ્યા બાદ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે નવો આદેશ મળ્યો છે, આ સમયગાળાનું કામ પૂર્ણ થઈ ગયું છે. મેં મારા સહિત સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું માનનીય રાજ્યપાલને સોંપ્યું છે.
ઉલ્લેખનીય છે કે અહીં ભાજપે ચૂંટણી જીતી હતી પરંતુ પુષ્કર સિંહ ધામી પોતે ખટીમા વિધાનસભા સીટ બચાવી શક્યા નહોતા.
આ સમાચાર પણ વાંચો : પ્લાસ્ટિકની થેલી વાપરી છે તો યાદ રાખજો! આ તારીખથી લાગુ પડશે પ્રતિબંધ. જાણો વિગતે
