Site icon

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડયા પછી અત્યારે શું પરિસ્થિતિ છે? જાણો અહીં મુખ્ય 10 મુદ્દાઓ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

08 ફ્રેબ્રુઆરી 2021 

ઉત્તરાખંડમાં ચીમોલી પાસે ગ્લેશિયર તૂટી ગયા પછી જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના ઉપર કાબૂ મેળવવામાં પ્રશાસન સફળ રહ્યું છે. જોકે અત્યાર સુધી સેંકડો લોકોના મૃતદેહો મળ્યા નથી. આ સંદર્ભે આજે શું છે પરિસ્થિતિ? અહીં તેની વિગત છે

બોલો શું કહેશો? લેન્ડિંગ ગિઅર માં ચોટી ને એક બાળક લંડનથી હોલેન્ડ પહોંચી ગયો. જાણો રસપ્રદ વિગતો.
 

૧. ઉત્તરાખંડમાં ગ્લેશિયર તુટ્યુ તેનો મૃત્યુઆંક (આ લેખ લખાયો ત્યાં સુધી)અત્યાર સુધી 18 પહોંચી ગયો છે, જ્યારે કે 170 લોકો લાપતા છે.

૨. આ પ્રાકૃતિક આપદા ને કારણે પાંચ પૂલો તૂટી પડયા છે અને અનેક ગામો સંપર્કથી દૂર થઈ ગયા છે.

૩. ઋષિ ગંગા નામના પ્રોજેક્ટ ના અવશેષો પણ બચ્યા નથી.

૪. એનટીપીસીના પાવર પ્રોજેક્ટ અને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. જે પ્રોજેક્ટ બરબાદ થઈ ગયો છે તે ntpc નો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

૫. ઉત્તરાખંડમાં આવેલી આ બધાને કારણે ચારધામ યાત્રા પર રહેલા યાત્રાળુઓને કોઈ અસર પહોંચી નથી. અનેક લોકો માર્ગમાં અટવાયા છે પરંતુ તેઓ સુરક્ષિત છે.

ભારતમાં એવું તે શું થયું કે કોરોના ગાયબ થવા માંડ્યો. ભલભલા વૈજ્ઞાનિકોને ચકરાવે ચડાવતો સવાલ. જાણો વિસ્તારથી…

૬. રેસ્ક્યુ ઓપરેશનમાં ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ એસડીઆરએફ અને એન ડી આર ડી ના જવાનો બચાવ કાર્ય કરી રહ્યા છે

૭. ઉત્તરાખંડ સરકારે મૃતકોના પરિવારોને ચાર લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે

૮. હાલ સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા નું ઓપરેશન ચાલુ છે

૯. નંદાદેવી ગ્લેશિયર નો એક ભાગ તૂટી પડવાને કારણે ઋષિ ગંગા ઘાટીમાં પાણીનું સ્તર વધી ગયું હતું જેને કારણે અલકનંદા નદી તોફાને ચઢી હતી.

૧૦. હાલ મોસમ સ્વચ્છ છે અને 300થી વધુ જવાનો ટનલમાં જઈને બચાવ કાર્ય કરી રહ્યા છે.

ઉત્તરાખંડમાં જળ પ્રલય બાદ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકાથી ધરા ધ્રુજી.
 

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Exit mobile version