Uttarkashi Helicopter Crash: ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, આટલા શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત… જુઓ વિડીયો

Uttarkashi Helicopter Crash:ઉત્તરકાશી જિલ્લામાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. પોલીસ અને વહીવટીતંત્રની સાથે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

by kalpana Verat
Uttarkashi Helicopter Crash 4 Tourists Killed As Helicopter Crashes Near Uttarakhand's Uttarkashi

 News Continuous Bureau | Mumbai

Uttarkashi Helicopter Crash:આજે સવાર સવારમાં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી છે. ઉત્તરકાશીમાં ગંગાની આગળ એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં 5 થી 6 મુસાફરો હતા. તેમાંથી ચાર મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે બે ઘાયલ હોવાનું કહેવાય છે. 

 Uttarkashi Helicopter Crash: દહેરાદૂનથી હર્ષિલ હેલિપેડ માટે ઉડાન ભરી

દુર્ઘટનાની માહિતી મળતા જ ઉત્તરકાશીના ડીએમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. મુસાફરોથી ભરેલા હેલિકોપ્ટરે દહેરાદૂનથી હર્ષિલ હેલિપેડ માટે ઉડાન ભરી હતી. ગંગાનાઈથી આગળ નાગ મંદિર નીચે ભાગીરથી નદી પાસે  હેલિકોપ્ટર ક્રેશ થયું. ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપી હતી કે પોલીસ, સેનાના જવાનો, આપત્તિ વ્યવસ્થાપન ટીમ, એમ્બ્યુલન્સ, તહસીલદાર ભટવાડી અને બીડીઓ ભટવાડી તેમજ મહેસૂલ ટીમ ઘટના સ્થળે રાહત અને બચાવ માટે રવાના થઈ ગઈ છે. આ ઘટના સવારે 9 વાગ્યે બની હોવાનું કહેવાય છે. આ હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હોવાનું કહેવાય છે.

 Uttarkashi Helicopter Crash:

Uttarkashi Helicopter Crash:ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ

આ હેલિકોપ્ટર એક ખાનગી એરલાઇનનું હતું. દુર્ઘટના માટે ખરાબ હવામાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. જોકે, હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આ સાથે, એક પ્રશ્ન એ પણ છે કે જો હવામાન ખરાબ હતું તો હેલિકોપ્ટર કઈ પરિસ્થિતિમાં ઉડાન ભરી? ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Lahore Blasts : સવાર સવારમાં પાકિસ્તાનમાં મોટો વિસ્ફોટ, એક પછી એક ત્રણ બ્લાસ્ટ; આખા લાહોરમાં ધુમાડો ધુમાડો; જુઓ વિડીયો

 જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં આ દિવસોમાં ચારધામ યાત્રા ચાલી રહી છે. કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી-યમુનોત્રીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવી રહ્યા છે. કેટલાક લોકો પગપાળા નીકળી ગયા છે જ્યારે ઘણા હેલિકોપ્ટર સેવા દ્વારા પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડમાં આજે હવામાન અંગે હવામાન વિભાગ દ્વારા ચેતવણી પણ જારી કરવામાં આવી છે. દેહરાદૂન, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, નૈનીતાલ અને ચંપાવતમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઘણા વિસ્તારોમાં વાવાઝોડા તેમજ ભારે પવન ફૂંકાઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More