Site icon

બાબાસાહેબ આંબેડકરના પૌત્રની માંગણી; લોકસભા – વિધાનસભામાંથી અનામત પ્રથાને દૂર કરો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

15 જુલાઈ 2020 

વંચિત બહુજન આઘાડી ના પ્રમુખ પ્રકાશ આંબેડકર જે બાબાસાહેબ આંબેડકર ના પૌત્ર છે, તેમણે મધ્યપ્રદેશના ભોપાલમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે "ભારતમાં લોકસભા – વિધાનસભામાંથી હવે અનામત પ્રથા દૂર થવી જોઈએ. બાબાસાહેબ આંબેડકરના વિચારો ને ટાંકતા તેમણે કહ્યું કે બાબાસાહેબ આંબેડકરે માત્ર 10 વર્ષ માટે અનામતની જોગવાઇ કરી હતી અને 1954માં તેઓ પોતે બોલ્યા હતા કે અનામતની પ્રથા હવે ચૂંટણીમાંથી નાબૂદ થવી જોઈએ. પરંતુ, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને પક્ષો, મતોનું રાજકારણ રમવામાં મશગુલ છે અને તેમને અનામત દૂર કરવામાં કોઈ રસ નથી." 

 વધુમાં પ્રકાશ આંબેડકરે કહ્યું કે "લોકોએ માની લીધું છે કે મતાધિકારની જેમ તેમનો મત વિસ્તાર પણ અનામત છે. અને એમાં કોઈ ફેરફાર ન થાય આ એક મોટી ગેરસમજ છે જે જલ્દીથી જલ્દી દુર થવી જોઈએ." અનેક આંબેડકર વાદીઓને કહ્યું છે કે, 'રાજકીય અનામત દૂર કરો' પરંતુ દેશની રાજકીય પાર્ટીઓએ પોતાના સ્વાર્થ ખાતર સામાન્ય જનતાના મનમાં ઠસાવી દીધું છે કે અનામત તેમનો મૂળભૂત અધિકાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે "મેં કોઈ દિવસ અનામતનો લાભ લીધો નથી. હું સામાન્ય બેઠક પરથી જ ચૂંટણી લડીને જીત્યો છું.' હા જો કે શિક્ષણ અને નોકરીમાં અનામત ને લોકોનો મૌલિક અધિકાર હોવાનું તેમણે જણાવ્યું હતું….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version