Varanasi : વારાણસીથી ચૂંટણી લડી શકે છે સત્યપાલ મલિક, કોંગ્રેસની કેન્દ્રીય કમીટીને ફીડબેકમાં સૂચન મળ્યું.

Varanasi : પૂર્વ સાંસદ ડો.રાજેશ મિશ્રાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં મલિક દાવેદાર બની શકે છે. બીજી તરફ સપા નેતા અથર જમાલ લારીનું કહેવું છે કે આ સીટ INDIA ગઠબંધનમાં કોંગ્રેસ પાસે છે.

by Bipin Mewada
Varanasi Satya Pal Malik can contest election from Varanasi, Congress central committee got suggestions in feedback..

News Continuous Bureau | Mumbai 

Varanasi : પીએમ મોદી ત્રીજી વખત વારાણસીથી લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) લડશે. તેથી કોંગ્રેસ પણ આ બેઠક પર મજબૂત ઉમેદવાર ઉભા રાખવાની યોજના બનાવી રહી છે.

એક એહવાલ મુજબ, કોંગ્રેસ ( Congress ) કાશીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ( Narendra Modi ) સામે સત્યપાલ મલિકને ( Satya Pal Malik  ) મેદાનમાં ઉતારી શકે છે. ઉમેદવારોના ફીડબેકમાં કેન્દ્રીય સમિતિને આ સૂચન મળ્યું છે. જો કે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : Pakistan: પાકિસ્તાનની કમાન ફરી એકવાર ‘શાહબાઝ શરીફ’ના હાથમાં છે, પીએમની ખુરશી સંભાળતાની સાથે જ ગાયો કાશ્મીર રાગ.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકને વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતારવા કોંગ્રેસને અપીલ કરવામાં આવશે…

મિડીયા રિપોર્ટ અનુસાર, પૂર્વ સાંસદ ડો.રાજેશ મિશ્રાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં મલિક દાવેદાર બની શકે છે. બીજી તરફ સપા નેતા અથર જમાલ લારીનું કહેવું છે કે આ સીટ INDIA ગઠબંધનમાં કોંગ્રેસ પાસે છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકને વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતારવા કોંગ્રેસને અપીલ કરવામાં આવશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More