ભાજપના સાંસદ વરુણ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને આટલા કરોડ આપવા કરી માંગ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 નવેમ્બર, 2021

શનિવાર

કેન્દ્ર દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

વરુણ ગાંધીએ પત્રમાં માંગ કરી છે કે MSP અને અન્ય મુદ્દાઓ પર કાયદો બનાવવાની માંગ પર હવે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.  

સાથે જ આ આંદોલનમાં 700 ખેડૂતો શહીદ થયા છે તેમના પરિવારજનોને એક-એક કરોડ રુપિયા ચુકવવામાં આવે.

આ ઉપરાંત લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકાર કેન્દ્રીય મંત્રી પર કાર્યવાહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

પાકિસ્તાનના આ બૉલરે ફેંક્યો 219 Km/hrsની સ્પીડથી બૉલ, શોએબ અખ્તર રહી ગયો દંગ; જાણો શું છે હકીકત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More