વરસાદે ખોરવ્યું ગૃહિણીઓનું બજેટ- શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને- જાણો કેટલા ટકા થયો વધારો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાત સહિત મહારાષ્ટ્ર(Maharashtra)ના અનેક ભાગોમાં મેઘરાજા(monsoon)એ ધડબડાટી બોલાવી છે. બંને રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક ધોધમાર વરસાદ(Heavy rain)ના પગલે ઘરો અને ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા છે. તો ક્યાંક આખેઆખા ગામડા બેટમાં ફેરવાઇ ગયા છે.

દરમિયાન ભારે વરસાદને કારણે હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવક ઘટી છે. સામાન્ય કરતાં ઓછા જથ્થામાં શાકભાજી બજારમાં આવી રહ્યા છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ 30 થી 40 ટકાનો વધારો થયો છે. મુંબઈ, નવી મુંબઈ, કલ્યાણના હોલસેલ માર્કેટમાં પુણે, નાસિક, ગુજરાતમાંથી શાકભાજી આવે છે. પરંતુ તે વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શાકભાજીના પરિવહનને અસર થઈ છે. ભારે વરસાદથી પાંદડાવાળા શાકભાજી અને ફળોના વાવેતરને પણ નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : આ વસ્તુઓ પર લાદવામાં આવેલા 5 ટકા  GSTના વિરોધમાં વેપારીઓનું આંદોલન- આજે ભારત બંધ- આ દિવસથી GST અમલમાં આવશે

શાકભાજીના ભાવ પ્રતિ કિલો

વટાણા- 100 

તુરીયા- 60 

 સીમલા મિર્ચી- 70 

 ગવાર- 70 

દેશી મેથી, લાલ માટ- 40 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More