Site icon

શું શિવસેના ભાજપના નગરસેવકોને તોડી નાખશે? શિવસેનાના આ નેતાએ કર્યો દાવો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

પાલિકાની ચૂંટણી પહેલાં જ રાજકીય પક્ષોમાં નગરસેવકોને પોતાના પક્ષમાં ખેંચી લાવવા સામાન્ય બાબત છે. આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે ત્યારે શિવસેનાએ પોતાની રણનીતિ હેઠળ ભાજપ પર દબાણ લાવવાનું ચાલુ કરી દીધું છે. પાલિકાની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન અને  શિવસેનાના નગરસેવક યશવંત જાધવે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે ભાજપના પાલિકાના સિનિયર નેતાઓના કારભારથી ભાજપના નગરસેવકો કંટાળી ગયા છે અને બહુ જલદી તેઓ પોતાના પક્ષને રામ રામ કરી દેવાના છે. ભાજપના અનેક નગરસેવક શિવસેનાના સંપર્કમાં હોવાનો અને ડિસેમ્બર સુધીમાં ભાજપના અનેક નગરસેવકો શિવસેનામાં જોડાઈ જશે એવો દાવો પણ શિવસેનાએ કર્યો છે. 

જાપાનના નવનિર્વાચિત વડા પ્રધાને એવું પગલું ભર્યું કે ચીન અને ઉત્તર કોરિયાના પેટમાં તેલ રેડાયું, થઈ ગયા લાલઘૂમ

ભાજપે હાલમાં જ પાલિકાની આશ્રય યોજનામાં 1844 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કર્યો હતો. આ આરોપને પગલે સ્થાયી સમિતિના અધ્યક્ષે આ આરોપ સાબિત કરવાની ચૅલેન્જ આપી હતી. તેમ જ પોતાના નગરસેવકોને સંભાળી રાખવાની સલાહ પણ આપી હતી.

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version