Site icon News Continuous Bureau | Mumbai

Vikramaditya Vedic Clock: વિક્રમાદિત્ય વૈદિક ઘડીયાળ પર સાયબર એટેક, સર્વર ડાઉન, PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન..

Vikramaditya Vedic Clock: વૈદિક ઘડિયાળ પર DDoS હુમલો થયો છે. જેના કારણે સર્વર ઘણું ધીમું થઈ ગયું છે. આ જ કારણ છે કે સામાન્ય લોકો અત્યારે આ ઘડિયાળના એપનો ઉપયોગ કરી શકતા નથી.

Vikramaditya Vedic Clock Cyber attack on Vikramaditya Vedic Gharial, server down, PM Modi had inaugurated

Vikramaditya Vedic Clock Cyber attack on Vikramaditya Vedic Gharial, server down, PM Modi had inaugurated

  News Continuous Bureau | Mumbai 

Vikramaditya Vedic Clock: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સપ્તાહ પહેલા જ ઉજ્જૈનના ( Ujjain ) જંતર મંતર ખાતે ‘વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ’નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની એપ 08 માર્ચ 2024 રિલીઝ થવાની હતી, પરંતુ તે જ સમયે વૈદિક ઘડિયાળ પર સાયબર હુમલો થયો હતો. સાયબર હુમલાના કારણે વૈદિક ઘડિયાળની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. જેથી હવે ચોક્કસ સમય જણાવવામાં ભૂલો થઈ રહી છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ અનુસાર , ‘વિક્રમાદિત્ય વૈદિક વોચ’ નામની ફ્રી મોબાઈલ એપ 8 માર્ચ, 2024ના રોજ રિલીઝ થવાની હતી. જેમાં આ પહેલા પણ હેકર્સે આ એપ પર સાયબર એટેક ( Cyber attack ) કર્યો હતો.

 આ વિશ્વની પ્રથમ ડિજિટલ વૈદિક ઘડિયાળ છે જે ભારતીય માનક સમયમાં ભારતીય પંચાંગ અને મુહૂર્ત વિશે માહિતી આપે છે.

આ વૈદિક ઘડિયાળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આરોહ શ્રીવાસ્તવે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, વૈદિક ઘડિયાળ પર DDoS હુમલો થયો છે. જેના કારણે સર્વર ઘણું ધીમું થઈ ગયું છે. આ જ કારણ છે કે સામાન્ય લોકો અત્યારે આ ઘડિયાળના એપનો ( watch app )  ઉપયોગ કરી શકતા નથી. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ અમે અત્યારે આ ઘડિયાળના સર્વરને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવી રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો :  Atal Setu: અટલ સેતુ પર કડક સુરક્ષા, સ્પીડ મર્યાદા ઓળંગવા બદલ બે હજાર વાહનચાલકો સામે કાર્યવાહી.. રુ. ચાર લાખનો દંડ વસુલ્યો..

ઉલ્લેખનીય છે કે, આ વિશ્વની પ્રથમ ડિજિટલ વૈદિક ઘડિયાળ ( Digital Vedic Clock ) છે જે ભારતીય માનક સમયમાં ભારતીય પંચાંગ અને મુહૂર્ત વિશે માહિતી આપે છે. તેને મોબાઈલ અને ટીવી પર પણ સેટ કરી શકાય છે. તેમણે જણાવ્યું કે વિક્રમાદિત્ય વૈદિક વોચની એપ હિન્દી, અંગ્રેજી અને અન્ય ભારતીય અને વિદેશી ભાષાઓમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઈન્ટરનેટ અને જીપીએસ સાથેના કનેક્શનને કારણે વિશ્વમાં ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકાય છે.

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સપ્તાહ પહેલા આ વૈદિક ઘડિયાળ દેશને સમર્પિત કરી હતી. તેમણે ઉદ્ઘાટન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. આ ઘડિયાળ ઉજ્જૈનમાં સ્થાપિત કરવામાં આવી છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના ભૂતકાળનો ઉલ્લેખ કર્યો હતો અને તેનો ઈતિહાસ જણાવ્યો હતો. લોકો તેને એપ દ્વારા ગમે ત્યાંથી જોઈ શકે છે.

 Thane Telegram Scam – રોકાણના નામે ખેલ ખતમ! ટેલિગ્રામ પર વધુ નફાની લાલચમાં ફસાઈ યુવતી, ગુમાવ્યા લાખો રૂપિયા. 
Truck Driver Family Tragedy એક જીદ બની ગઈ મોતનું કારણ આઈફોનની લહાયમાં ટ્રક ડ્રાઇવરે ગુમાવ્યો પરિવાર, જાણો શું છે સમગ્ર ઘટના.
CM Vijays Free Gold Rings for Newborns તામિલનાડુ સરકારની સોનેરી ભેટ! સરકારી હોસ્પિટલમાં જન્મ લેનાર દરેક નવજાત બાળકને મળશે સોનાની વીંટી.
Cash Craze India અમેરિકા અને યુરોપ પાછળ છૂટી ગયા! UPI યુગમાં પણ ભારતીયોમાં કેશ પ્રત્યેનો પ્રેમ અકબંધ, નોટ છાપવાનો રેકોર્ડ આગળ.
Exit mobile version