Site icon

જેલમાં બંધ એનસીપીના નેતા નવાબ મલીકની મુશ્કેલીમાં વધારો, વાશિમ કોર્ટે આ ગુનો દાખલ કરવાનો આપ્યો આદેશ

News Continuous Bureau | Mumbai

એનસીપી (NCP) ના નેતા અને પૂર્વ મંત્રી નવાબ મલિક (Nawab Malik) હાલમાં મની લોન્ડરિંગના કેસમાં જેલમાં છે. દરમિયાન તેમની  મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ વાશિમ કોર્ટે (Washim Court) પોલીસને નવાબ મલિક સામે એટ્રોસિટીનો કેસ (A case of atrocity) દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ની મુંબઈ શાખાના ભૂતપૂર્વ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિક દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીની તપાસ કરવા વાશિમ પોલીસને નિર્દેશ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો: આજે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, કર્ક-તુલા સહિત આ 4 રાશિઓને થશે લાભ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં કથિત મની લોન્ડરિંગ કેસમાં મલિકની ધરપકડ કરવામાં આવી હતી. તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને હાલમાં મુંબઈની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે સમીર વાનખેડે મુંબઈ NCBના ઝોનલ ડાયરેક્ટર હતા. ત્યારે તેમણે ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. નવાબ મલિકે આ મામલે સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
LPG Crisis Deepens Amid Iran War: મોંઘવારીમાં મોટો ફટકો! ઈરાન યુદ્ધને કારણે LPG સંકટ; હવે ૧૪.૨ કિલોના સિલિન્ડરમાં મળશે માત્ર ૧૦ કિલો ગેસ? જાણો સરકારનો નવો પ્લાન.
Exit mobile version