Site icon

ચારધામ પૈકી બદ્રીનાથ પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી- ભગવાન બદ્રી વિશાલની પૂજા કરી અને મહાભિષેક કર્યો- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બિઝનેસમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) આજે ચારધામમાંથી એક પ્રખ્યાત એવા મંદિર બદ્રીનાથ ધામ(Badrinath Dham) દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બદ્રીનાથ ધામ પહોંચતા જ મંદિર સમિતિના ઉપાધ્યક્ષ કિશોર પંવારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી મુકેશ અંબાણીએ ભગવાન બદ્રી વિશાલ(Bhagvan Badri Vishal)ની પૂજા કરી અને ભગવાનનો મહાભિષેક કર્યો.. આ દરમિયાન તેમણે ગીતા પાઠ પૂજામાં પણ ભાગ લીધો હતો. મુકેશ અંબાણીએ બદરી કેદાર મંદિર સમિતિ(Badri Kedar Temple Committee)ને પાંચ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

Join Our WhatsApp Community

 

ભગવાનના દર્શન કર્યા બાદ મુકેશ અંબાણી બદ્રીનાથના રાવલ ઈશ્વરી પ્રસાદ નંબૂદીરીને મળ્યા હતા. આ પછી તેમનો કેદારનાથ ધામ(Kedarnath Dham) જવાનો પણ કાર્યક્રમ છે. મુકેશ અંબાણી બપોરે પાછા જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચશે અને મુંબઈ(Mumbai) જવા રવાના થશે. 

આ સમાચાર પણ વાંચો :દિવાળી પહેલા મિથુન રાશિને લાભ આપશે મંગળ- જાણો કેવી રહેશે આ રાશિના જાતકો માટે દિવાળી 

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીને ભગવાન બદ્રી વિશાલમાં અતૂટ શ્રદ્ધા છે, તેથી તેઓ દર વર્ષે દર્શન કરવા બદ્રીનાથ પહોંચે છે. તે અવારનવાર પોતાના પરિવાર(family) સાથે અહીં આવે છે. થોડા દિવસ પહેલા પણ મુકેશ અંબાણી પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે તેમને જોલી ગ્રાન્ટ એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું. 

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version