Site icon

ચારધામ પૈકી બદ્રીનાથ પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી- ભગવાન બદ્રી વિશાલની પૂજા કરી અને મહાભિષેક કર્યો- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બિઝનેસમેન મુકેશ અંબાણી(Mukesh Ambani) આજે ચારધામમાંથી એક પ્રખ્યાત એવા મંદિર બદ્રીનાથ ધામ(Badrinath Dham) દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બદ્રીનાથ ધામ પહોંચતા જ મંદિર સમિતિના ઉપાધ્યક્ષ કિશોર પંવારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી મુકેશ અંબાણીએ ભગવાન બદ્રી વિશાલ(Bhagvan Badri Vishal)ની પૂજા કરી અને ભગવાનનો મહાભિષેક કર્યો.. આ દરમિયાન તેમણે ગીતા પાઠ પૂજામાં પણ ભાગ લીધો હતો. મુકેશ અંબાણીએ બદરી કેદાર મંદિર સમિતિ(Badri Kedar Temple Committee)ને પાંચ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

Join Our WhatsApp Community

 

ભગવાનના દર્શન કર્યા બાદ મુકેશ અંબાણી બદ્રીનાથના રાવલ ઈશ્વરી પ્રસાદ નંબૂદીરીને મળ્યા હતા. આ પછી તેમનો કેદારનાથ ધામ(Kedarnath Dham) જવાનો પણ કાર્યક્રમ છે. મુકેશ અંબાણી બપોરે પાછા જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચશે અને મુંબઈ(Mumbai) જવા રવાના થશે. 

આ સમાચાર પણ વાંચો :દિવાળી પહેલા મિથુન રાશિને લાભ આપશે મંગળ- જાણો કેવી રહેશે આ રાશિના જાતકો માટે દિવાળી 

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીને ભગવાન બદ્રી વિશાલમાં અતૂટ શ્રદ્ધા છે, તેથી તેઓ દર વર્ષે દર્શન કરવા બદ્રીનાથ પહોંચે છે. તે અવારનવાર પોતાના પરિવાર(family) સાથે અહીં આવે છે. થોડા દિવસ પહેલા પણ મુકેશ અંબાણી પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે તેમને જોલી ગ્રાન્ટ એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું. 

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version