Site icon

કિરીટ સોમૈયાએ દેખાડ્યો દમ; કહ્યું દિવાળી સુધીમાં આ ગોટાળાઓ સાબિત કરીને રહીશ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના પ્રધાનોના બધા જ ગોટાળાઓ દિવાળી સુધી સાબિત કરશે એવું દમપૂર્વક કહ્યું છે. દિવાળી સુધીમાં ઉદ્ધવ ઠાકરેની ઇલેવન સેના જેલમાં જશે. એવું સોમૈયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

પરિવહન અધિકારી બજરંગ ખરમાટેને EDએ નોટિસ મોકલી છે. એના આધારે ખરમાટેના સાંગલી જિલ્લાના તાસગાવમાં આવેલા વણઝારવાડી વિસ્તારના ફાર્મ હાઉસ  અને અન્ય ઠેકાણેની માલમતાની  તપાસ સોમૈયાએ કરી હતી. ત્યાર બાદ સાંગલીમાં આયોજિત પત્રકાર પરિષદમાં ઠાકરે સરકાર પર તેમણે નિશાન સાધ્યું હતું.

બજરંગ ખરમાટે પરિવહનપ્રધાન અનિલ પરબના વિશેષ સચિવ હતા. એથી ૪૦ પ્રૉપર્ટીની બેહિસાબી ૭૦૦ કરોડની માલમતા છે એ ક્યાંથી આવી? એની માહિતી અમે માગી  છે. આ સંપત્તિ ખરમાટેની છે કે અનિલ પરબની એ બહુ જ જલદી ખબર પડશે. ઠાકરે સરકારનો એક અનિલ જેલના દરવાજે છે તો બીજા અનિલનું પણ મુહૂર્ત નીકળશે, એવી ટીકા સોમૈયાએ કરી હતી.

ઉત્તર પ્રદેશના આ જિલ્લાનું ફરી એક વખત થશે નામકરણ, જિલ્લાનું નામ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ રખાશે, જિલ્લા પંચાયત બોર્ડની બેઠકમાં ઠરાવ પાસ; જાણો વિગતે

સોમૈયાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ કર્યો હતો કે ઠાકરેએ ૯૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો મુખ્ય પ્રધાનપદની શપથ લીધાના બીજા જ દિવસે કર્યો છે. એથી આ ઉદ્ધવ ઠાકરેની ઇલેવન સેનાના ભ્રષ્ટાચારને અમે પુરાવા સહિત ઉજાગર કરીશું અને દિવાળી સુધીમાં ઠાકરેની આ સેના જેલમાં જશે એવું સોમૈયાએ કહ્યું હતું.

 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version