Dwarka : જગતમંદિર દ્વારકામાં દર્શન કરવા જતા હોવ તો વાંચો આ સમાચાર, શ્રદ્ધાળુઓએ આ નિયમને ફરજીયાત અનુસરવો પડશે.. પરિસરમાં લાગ્યા બેનર્સ..

Dwarka : ગુજરાતના પ્રખ્યાત પ્રવાસ સ્થળોમાં સમાવિષ્ટ શ્રી દ્વારકાધીશ જગત મંદિરમાં ટૂંકા વસ્ત્રોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિર સમિતિએ આ અંગે મંદિર પરિસરમાં એક બોર્ડ લગાવ્યું છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા પ્રવાસીઓ અને ભક્તોને જાણ કરવા સ્થાનિક હોટેલ અને ગેસ્ટ હાઉસના માલિકોને જાણ કરી છે.

by Dr. Mayur Parikh
Wear clothes that maintain dignity of Dwarkadhish Mandir: Management to devotees

News Continuous Bureau | Mumbai
Dwarka : ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરે(Dwarkadhish Temple)
મહત્વનો નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તોને ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના પોશાક (Dress code) પહેરીને મંદિરમાં આવવાની અપીલ કરી છે. મંદિર પ્રશાસને કહ્યું છે કે જગત મંદિરની ગરિમા જળવાઈ રહે તે માટે આ જરૂરી છે. દ્વારકા સ્થિત જગત મંદિરમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો દર્શન માટે પહોંચે છે. આવી સ્થિતિમાં મંદિર પ્રશાસને ટૂંકા કપડા(Short dress) પહેરીને ન આવવા જણાવ્યું છે.

વહીવટીતંત્રે લગાવ્યું એક બોર્ડ

Wear clothes that maintain dignity of Dwarkadhish Mandir: Management to devotees

Wear clothes that maintain dignity of Dwarkadhish Mandir: Management to devotees

મંદિર પ્રશાસ(ને આ માટે મંદિર પરિસરમાં એક બોર્ડ લગાવ્યું છે. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં ડ્રેસ કોડ વિશે માહિતી આપવામાં આવી છે અને મંદિરમાં પ્રવેશવા માટેના કપડાં ભારતીય સંસ્કૃતિ અનુસાર હોવા જોઈએ તેવું લખવામાં આવ્યું છે. મંદિરની ગરિમા જાળવવા માટે આ જરૂરી છે. પરિસરમાં બોર્ડ લગાવવાની સાથે મંદિર પ્રશાસને દ્વારકા(Dwarka) ની હોટલો અને તમામ ગેસ્ટ હાઉસને પણ સૂચના આપી છે કે તેઓ મુલાકાતે આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુ(Devotee)ઓને જણાવે કે જો તેઓ શ્રી દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા જતા હોય તો તેઓ ભારતીય સંસ્કૃતિના વસ્ત્રો પહેરે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Cabinet Portfolio: મહારાષ્ટ્રમાં થયું મંત્રીમંડળનું વિસ્તરણ, અજિત પવારને મળ્યું આ મંત્રાલય, જાણો શિંદે-ફડણવીસને કયો વિભાગ મળ્યો..

ટૂંકા કપડામાં પ્રવેશ આપવામાં આવશે નહીં

ઉલ્લેખનીય છે કે ગુજરાત(Gujarat) ના દ્વારકામાં આવેલું શ્રી દ્વારકાધીશ મંદિર એ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંનું એક છે. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર ટૂંકા કપડા પહેરીને આવનાર લોકોને પ્રવેશ મળશે નહીં. જગતમંદિર (Dwarkadhish Temple) ની ગરિમા જાળવવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે. હોટેલ અને ગેસ્ટ હાઉસના માલિકો ઉપરાંત ઓટો રિક્ષા ચાલકોને પણ આ અંગે જાણ કરવામાં આવી છે જેથી મંદિરમાં આવનારા ભક્તો ટૂંકા કપડા ન પહેરે અને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

ઘણા મંદિરોમાં પહેલેથી જ પ્રતિબંધ છે

મંદિર પરિસરમાં ટૂંકા કપડા પહેરીને પ્રવેશવા પર અનેક વિવાદો થયા છે. મે મહિનામાં, હિમાચલ પ્રદેશના એક મંદિરમાં છોકરીઓ ટૂંકા કપડા પહેરીને પહોંચી ત્યારે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તાજેતરમાં, ઉત્તરાખંડના કેટલાક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હરિદ્વાર સ્થિત દક્ષ પ્રજાપતિ મંદિર અને ઋષિકેશ સ્થિત નીલકંઠ મંદિરમાં ટૂંકા વસ્ત્રોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More