Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા

ફેબ્રુઆરીમાં ચોમાસા જેવો માહોલ; છત્રપતિ સંભાજીનગર, નાસિક અને જળગાંવ સહિતના વિસ્તારોમાં એલર્ટ, વાતાવરણના પલટાથી ખેડૂતો ચિંતિત.

Maharashtra Weather Update આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ

Maharashtra Weather Update આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ

News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે સામાન્ય રીતે ઠંડીનો અનુભવ થતો હોય છે, ત્યારે આ વખતે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની ગંભીર ચેતવણી આપી છે. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, પરંતુ તેની સરખામણીએ મહારાષ્ટ્રમાં ઠંડી ગાયબ થઈ છે અને ઉકળાટ વધ્યો છે.

આ 8 જિલ્લાઓ માટે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાવાને કારણે આજે છત્રપતિ સંભાજીનગર, પરભણી, જાલના, અહિલ્યાનગર (અહમદનગર), નંદુરબાર, જળગાંવ, ધુલે અને નાસિક જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

Join Our WhatsApp Channel

પુણેમાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ

પુણે અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. પુણેમાં લઘુત્તમ તાપમાન 14° સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31° સેલ્સિયસ નોંધાયું છે. શહેરીજનો સવારે અને રાત્રે ઠંડી, સાંજે વાદળછાયું વાતાવરણ અને બપોરે કડક તડકાનો સામનો કરી રહ્યા છે. આમ, પુણેકરો એક જ દિવસમાં ત્રણ ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે. આગામી બે દિવસ સુધી અહીં હવામાન સ્થિર રહેવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : India US Trade Deal 2026: રશિયા સાથેની જૂની મિત્રતા અને અમેરિકા સાથે નવી ‘ડીલ’: શું ભારત ખરેખર રશિયન તેલ બંધ કરશે? જાણો શું છે અસલી ગણિત

વારંવાર બદલાતા વાતાવરણની સ્વાસ્થ્ય પર અસર

રાજ્યમાં ક્યારેક ઠંડી તો ક્યારેક વરસાદી માહોલ સર્જાવાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. વાતાવરણમાં થઈ રહેલા આ સતત ફેરફારોની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે, જેના કારણે શરદી, ઉધરસ અને તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને વરસાદ દરમિયાન વીજળીથી બચવા સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે.

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version