Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો, વટવા સ્ટેશન પર શરૂ કરાઈ રેલ્વે ટિકિટ રિઝર્વેશન સુવિધા

Western Railway :વટવા સ્ટેશન પર રિઝર્વેશન સુવિધા સોમવારથી શનિવાર સવારે 08:00 થી 12:00 અને 16:00 થી 20:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે

News Continuous Bureau | Mumbai   

Western Railway : પશ્ચિમ રેલ્વે, અમદાવાદ ડિવિઝનના વટવા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે આરક્ષિત રેલ્વે ટિકિટ મેળવવા હેતુ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ની સુવિધા શરૂ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

Western Railway railway ticket reservation facility launched at Vatwa station

 

વટવા સ્ટેશન પર રિઝર્વેશન સુવિધા સોમવારથી શનિવાર સવારે 08:00 થી 12:00 અને 16:00 થી 20:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે અને રવિવારે આ સેવા સવારે 08:00 થી બપોરે 14:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. વટવા સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટિંગ સિસ્ટમ (PRS) શરૂ થવાથી, વટવા અને તેની આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ટિકિટ રિઝર્વેશન માટે મણિનગર, કાલુપુર કે અન્ય સ્ટેશનો પર જવાની જરૂર રહેશે નહીં.

 

આ સમાચાર પણ વાંચો : Ahmedabad News: સરકારી સ્કૂલ ચલે હમ : અમદાવાદની આ શાળામાં પ્રવેશ માટે પડાપડી, વાલીઓની લાગી લાંબી કતાર

પશ્ચિમ રેલ્વે મુસાફરોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને તેમની મુસાફરીને વધુ સરળ અને અનુકૂળ બનાવવા વિનંતી કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version