ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
કોઇમ્બતુરના કામાચીપુરી મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ સ્થાપિત કરવા પાછળનો હેતુ એ છે કે કોરોના વાયરસથી લોકોનું રક્ષણ થાય. આ સંદર્ભે મંદિરના મૅનેજર અને પૂજારી આનંદ ભારતીયએ મીડિયાને જણાવ્યું હતું કે કોઇમ્બતુરમાં કોરોનાના કેસ વધવાને કારણે પૂજારીઓએ ભેગા મળીને નિર્ણય લીધો છે કે કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. હવે આ મંદિરમાં સતત પ્રાર્થના કરવામાં આવશે કે કોરોનાદેવી લોકોને રક્ષણ આપે. 'કોરોનાદેવી દયા કરો.' આ મંત્રનો જાપ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1900માં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ પ્લેગ મરિયમ્માના મંદિરમાં પ્રાર્થના કરી હતી.
