ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પોતાના ભાષણ દરમ્યાન ગરીબ અને નીચલા વર્ગના લોકો માટે અનેક જાહેરાત કરી. પરંતુ વેપારીઓ માટે કોઈપણ પ્રકારની જાહેરાત કરી નથી. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો વેપારીઓને કોઈ મદદ કરવાની હોય તો તે મદદ કેન્દ્ર સરકારે કરવી જોઈએ.
પોતાના વક્ત હે માં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વેપારીઓને જીએસટીમાં સવલત આપવી જોઈએ. આ ઉપરાંત જ્યારે પૂર અને કુદરતી આફત આવે છે ત્યારે તે કાયદા હેઠળ લોકોને જે રીતે રાહત પૂરી પાડવામાં આવે છે તે રીતે વેપારીઓને મદદ પુરી પાડવી જોઈએ.
આ રીતે રાજ્ય સરકારે વેપારીઓને મદદ કરવાનું કેન્દ્ર સરકાર પર છોડી દીધું છે.
