Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં પગ મુક્યો છે તો જોજો!!!! રાજ ઠાકરેને ભાજપના આ નેતાએ આપી ચેતવણી; જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મસ્જિદ પરના લાઉડસ્પીકર(Maharashtra loudspeaker row) હટાવવાથી લઈને હનુમાન ચાલીસા(Hanuman chalisa)ના પાઠનો વિવાદ છંછેડનારા MNSના અધ્યક્ષ રાજ ઠાકરે (Raj Thackeray)અયોધ્યા(Ayodhya)માં જવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર ભાજપે(Maharashtra BJP) રાજ ઠાકરે(Raj Thackeray)ની આ જાહેરાતને વધાવી લીધી છે, પરંતુ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ભાજપના સાંસદે રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાત સામે વિરોધ કર્યો છે અને ઉત્તર ભારતીયોની માફી માંગ્યા સિવાય અયોધ્યામાં પગ મુકતા નહીં એવી ચેતવણી આપી છે.

Join Our WhatsApp Channel

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના પૈસરગંજના ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે (Brij Bhushan Sharan Singh) ગુરુવારે એક પછી એક ટ્વિટ કરીને  રાજ ઠાકરે(Raj Thackeray)ની જોરદાર ટીકા કરી હતી. ઉત્તર ભારતીય નાગરિકોનું અપમાન કરવાનો આરોપ કરીને રાજ ઠાકરેએ પહેલા માફી માંગવી એવી માગણી પણ તેમણે કરી છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઇલેક્શન કમિશને કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.

રાજ ઠાકરે ઉત્તર પ્રદેશની જનતાની માફી માંગે નહીં ત્યાં સુધી તમે તેમની મુલાકાત લેતા નહીં એવી વિનંતી બ્રિજભૂષણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન(UP chief minister) યોગી આદિત્યનાથને(Yogi adityanath)કરી છે. 
 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version