Site icon

લડાઈ ખેડૂતોની, વચ્ચે કુદી પડ્યાં આ રાજકારણી..  જો માંગ નહીં સંતોષાય તો કાઢશે  ‘ખેડૂત પ્રજાસત્તાક પરેડ’

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 જાન્યુઆરી 2021

દિલ્હી બોર્ડર એગ્રીકલ્ચર કાયદાને લઈને કેન્દ્ર અને ખેડૂતો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. હવે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો 26 મી જાન્યુઆરી સુધીમાં અમારી માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો, દિલ્હીમાં ખેડુતો કરશે 'ખેડૂત પ્રજાસત્તાક પરેડ'. આ પરેડને સફળ બનાવવા તેમણે ખેડુતોને તેમાં જોડાવા અપીલ કરી હતી.

Join Our WhatsApp Community

યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે અમે રાષ્ટ્રીય પાટનગરની બાજુના વિસ્તારોના ખેડુતોને વિનંતી કરી છે કે શક્ય હોય તો પરિવારના એક સભ્યને દિલ્હી મોકલો.

એક દિવસ અગાઉ, ખેડૂત સંગઠનોના આ નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કરી દીધું હતું કે જો સોમવારની વાતચીત સફળ ન થાય તો અમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ક્વિટ પાર્ટી અભિયાન શરૂ કરીશું. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે અમારો સૌથી મોટો મુદ્દો કૃષિ કાયદો અને એમએસપી છે. 

હાલ કેન્દ્ર સરકાર ત્રીજી અને ચોથી માંગને સ્વીકારીને વાત દબાવવા માંગે છે, પરંતુ સત્ય એ છે કે કેન્દ્ર સરકારે એમએસપી પ્રત્યેની સૈદ્ધાંતિક પ્રતિબદ્ધતા દર્શાવવાનો ઇનકાર પણ કરી દીધો છે. નોંધનીય છે કે 4 જાન્યુઆરી એ પંજાબ હરિયાણા બોર્ડર પર બેસેલા ખેડૂતો ફરી સરકાર સાથે વાત કરવાના છે અને વાત ન બને તો ટ્રેક્ટર રેલી તે જ દિવસે કાઢશે..

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version