ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ઉત્તર પ્રદેશની યોગી સરકારે મથુરાને લઈને મોટો નિર્ણય લીધો છે
સરકારે મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળના 10 ચોરસ કિમી વિસ્તારને તીર્થ સ્થળ તરીકે જાહેર કર્યો છે.
આ વિસ્તારમાં આવતા 22 મ્યુનિસિપલ વોર્ડના વિસ્તારોમાં દારૂ અને માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
બ્રજ ખાતે આવતા લાખો ભક્તોની આસ્થાને જોતા યોગી સરકારે આ નિર્ણય લીધો છે.
જોકે આ નિર્ણયથી જે લોકોના વ્યવસાયને અસર થશે તેને સરકાર આ વિસ્તારથી દૂર બીજા સ્થળે આ કામ કરવા દેશે
નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કૃષ્ણ જન્માષ્ટમી પર આ અંગે સંકેત આપ્યા હતા.
