• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - સોમનાથ
Tag:

સોમનાથ

somnath temple celebrate 73rd anniverser
જ્યોતિષ

શ્રી સોમનાથ મંદિરના 73માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી, જુઓ જૂનો અને આજનો સોમનાથ મંદિર નો ફોટોગ્રાફ.

by Dr. Mayur Parikh May 11, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સોમનાથ મંદિરનું પુન નિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું. સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવેલ હતી. આ મહાન ક્ષણ ને 72 વર્ષ પૂર્ણ થયા છે

somnath temple celebrate 73rd anniverser

યુગયુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે. પરંતુ સેદ્દીઓં સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વ્લભભાઈ ટેના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુન નિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનોથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રમે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46મિનિટ કરવામાં આવેલ હતી.

somnath temple celebrate 73rd anniverser

 

આ મ્હાન ક્ષણ ને 72 વર્ષે પૂર્ણ થયા છે. 11 મે 1951ની એ ધન્ય ક્ષણ વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર ટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો જે 73મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. ત્યારે જુનો અને નવો ફોટોગ્રાફ જુઓ

 

આ સમાચાર પણ વાંચો: શું એક્સ બોયફ્રેન્ડના વખાણ કરતી જોવા મળી હતી પ્રિયંકા? અભિનેત્રી એ કયો મોટો ખુલાસો

May 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
special arrangements by temple trust of somanath on occasion of mahashivratri
જ્યોતિષ

શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન ભકતોનો માનવમહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોચશે

by kalpana Verat February 18, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

પ્રતિવર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ 2023 અંતર્ગત તા.૧૭ ફેબ્રુઆરી થી તા.૧૯ ફેબ્રુઆરી -૨૦૨૩ દરમ્યાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા.૧૮-૦૨-૨૦૨૩, શનિવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ૪-૦૦ વાગ્યાથી થી લઇ સતત ૪૨ કલાકે ભક્તજનો માટે ખુલ્લુ રહેશે, ચાર પ્રહરની વિશેષ પૂજા- આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ- પૂજન- શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે, સોમનાથના માર્ગો શિવભક્તોનાં “જય સોમનાથ”ના નાદથી ગુંજી ઉઠશે. ભક્તોની વિશેષ સુલભતા માટે વિશેષ ક્લોકરૂમ જુતાધરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મહાશિવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ને લક્ષ્યમાં લઇ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ વિવિધ પૂજાવિધિ નોંધાવી શકે, પ્રસાદ-લયજ્ઞકીટ-સૌમગંગા-અભિષેક માટે ગંગાજળ મેળવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપુજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિએ વધુમાં વધુ પરિવારોને સોમેશ્વર મહાપૂજન કરી શકે તે માટે વિશેષ સ્લોટ શરૂ કરવામાં આવેલ છે.

ધ્વજાપુજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ મહાશિવરાત્રિ મહોત્સવથી પાધપૂજન કરવામાં આવશે, જેમાં યજમાનશ્રી ન્યોછાવર પૂજાવિધિ કાઉન્ટર ૫૨ નોંધાવી પાઘનું પૂજન કરી શકશે, ત્યાર બાદ પાધની શોભાયાત્રા વાજતે-ગાજતે મંદિર પરિસરમાં ફરશે, અને ત્યાર બાદ સોમનાથ મહાદેવના શૃંગાર માં આ પાઘ ને ઉપયોગમાં લેવાશે, મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે, મહાશિવરાત્રિએ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો દ્વારા શાંતિપાઠ કરવામાં આવશે, સોમનાથ મહાદેવના સાનિધ્યે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રૂદ્રિપાઠ સતત શરૂ રહેશે, સમુદ્ર તટે મારૂતી બીચ ખાતે પાર્થેશ્વર મહાપૂજન કરવામાં આવશે, જેમનો વિશેષ લાભ ૨૫૧ યજમાન પરિવારો લઇ શકશે.. મહાશિવરાત્રિના રોજ ૨૪/૭ સ્વાગત કેન્દ્ર મંદિરના મુખ્ય પ્રવેશ પાસે કાર્યરત રહેશે.

સોમનાથ આવતા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા.. શ્રી સોમનાથ ટ્રસ્ટ સ્વાગત કક્ષનો સંપર્ક કરી વૃદ્ધો તથા દિવ્યાંગો સરળતાથી આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી મહાશિવરાત્રિ પર્વે ધન્ય બનશે. આ માટે મો.૯૩૫૭૫૭૪૭૫૭ સંપર્ક કરી વૃદ્ધ તેમજ દિવ્યાંગ યાત્રીક મદદ મેળવી શકશે. આ માટે વિશેષ સ્ટાફ આ વ્યવસ્થા માટે રાખવામાં આવેલ છે. સોમનાથ મહામૃત્યુંજય યજ્ઞ સોમનાથ મંદિર પ્રાંગણમાં આવેલી યજ્ઞશાળા ખાતે તા.૧૭ થી ૧૯ ફેબ્રુઆરી દરમીયાન સવારે ૭-૩૦ થી સાંજે ૬-૩૦ દરમીયાન મહામૃત્યુંજય યજ્ઞ યોજાશે, જેમાં સોમનાથ આવતા ભક્તો માત્ર પાંચ મીનીટનો સમય કાઢી આહુતી આપી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરી શકશે. શ્રાવણ-૨૦૨૨ દરમીયાન ૧૬ હજારથી વધુ પરિવારોએ ૩.૩૭ લાખથી વધુ આહુતી સોમનાથ મહાદેવને અર્પણ કરી ધન્ય બન્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  મહાશિવરાત્રી પર્વ, હિંદુઓનો સૌથી મોટો તહેવાર. જાણો તેના વિશે.

સોમૈશ્વર મહાપૂજા : સૌમનાથ ખાતે તા.૩૧મે ૨૦૨૨ ના રોજ શરૂ થયેલી સોમેશ્વર મહાપૂજા જે ૪૦ થી વધુ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયેલી છે, મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વધુ ભક્તો આ પૂજનનો લાભ લઇ શકે તે શુભાશય સાથે સ્લોટ સવારે ૮ કલાકે, ૯ કલાકે, ૧૦ કલાકે, બપોરે ૧૨-૩૦ કલાકે, ૨ કલાકે, ૩ ક્લાર્ક, ૪ ક્લાકે, ૫ કલાકે, રાત્રે ૭-૩૦ કલાકે, પ્રથમ પ્રહર રાત્રે ૮-૩૦ કલાકે, દ્વિતીય પ્રહર રાત્રે ૧ કલાકે મળી કુલ ૧૧ સ્લોટમાં ભક્તો સોમનાથ મહાદેવની નીશ્રામાં થતી સોમેશ્વર મહાપૂજન ઓનલાઇન ટ્રસ્ટની વેબસાઇટ તથા ઓફલાઇન શ્રી સોમનાથ ટ્રસ્ટ પૂજાવિધિ કાઉન્ટર પર નોંધાવી પૂજનનો લાભ લઇ શકશે. સોમનાથ મહાદેવની વિશેષ બિલ્વપૂજા સમગ્ર દેશભર માંથી એક લાખથી વધુ શિવભક્તો એ ઓનલાઇન જે બિલ્વપૂજા નોંધાવી છે. આ તમામ ભક્તોની બિલ્વપૂજા સેવાના બિલ્વપત્રોનું આદિ જ્યોલિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવશે, જેને ઘરેબેઠા ભક્તો ઓનલાઇન નિહાળી ધન્ય બનશે. તેમજ મહાશિવરાત્રિ પર્વે ભગવાનના શૃંગારમાં લેવાયેલા બિલ્વપત્ર, ભસ્મ, રૂદ્રાક્ષ એ લાખો ભક્તોને પ્રસાદ સ્વરૂપે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓ સુધી પહોચાડાશે..

સોમનાથ મહાશિવરાત્રિ પર્વે ભર્તા ઘરેબેઠા ઓનલાઈન પૂજાનો ઇ-સંકલ્પ કરી ધન્ય બને તે માટે ઓનલાઇન ઝુમ એપ પર ભક્તો પૂજા તેમજ દર્શન કરી શકશે. પૂજા ટ્રસ્ટની ઉપરોક્ત વેબસાઇટ પરથી નોંધાવી શકાશે . ટ્રસ્ટની વેબસાઇટ soMNATH.ORG પરથી ભક્તો સોમનાથ મહાદેવને અર્પીત કરવામાં આવતા પિતાંબર-સાડી-પ્રસાદ-પૂજા થયેલા ચાંદીના સિક્કા વિગેરે સમગ્ર દેશમાંથી કુરીયર મારફત મેળવી ધન્ય બની શકશે. ભારતભરની કોઇપણ પોસ્ટ ઓફિસ ખાતે મનીઓર્ડર નોંધાવી ભક્તો ધરબેઠે પ્રસાદ મેળવી શકશે. મહાશિવરાત્રિના દિવસે શ્રી સોમનાથ મંદિર લાઇટીંગથી સુંદર દ્રશ્યમાન થશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્કિંગમાં એલ.ઇ.ડી સ્ક્રીનમાં ભક્તો આવતા-જતા સોમનાથ જીના લાઇવ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે. જુદા-જુદા દાતાશ્રીઓના સહયોગથી મહિશવરાત્રિ પર્વે દર્શનાર્થે પધારતાં ધાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિઃશુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા સોમનાથ પથીકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવેલ છે. તા.૧૭.૦૨.૨૦૨૩ તથા તા.૧૮.૦૨.૨૦૨૩ ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૩’ નું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરિસર ચૌપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે, આ કાર્યક્રમમાં જુદા-જુદા કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા ૨૨૫ ચી વધારે કલાકારો ભગવાન શિવજીની આરાધના કરશે. જેમાં પ્રસિદ્ધ કલાકાર શ્રી બ્રીજરાજદાન ગઢવી, શ્રી હેમંત જોષી ભક્તો સમક્ષ શિવભક્તી ની પ્રસ્તુતી કરશે. આ કાર્યક્રમ લોકો ધરેબેઠા રાત્રે ૮-૦૦ કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી નિકાળી શકશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.

આ સમાચાર પણ વાંચો :  આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી

અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ માન.સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇની દેખરેખમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ તેમજ સ્થાનીક જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર નગર સેવા સદનના સહયોગથી ઉત્સાહભેર મહા શિવરાત્રિ મહોત્સવમાં આવનાર યાત્રીઓની વ્યવસ્થા અને આયોજન ગોઠવી રહ્યા છે. મહાશિવરાત્રિનું સમગ્ર આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પર્વે દર્શનાર્થે આવતા ભાવિકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ અપિલ કરવામાં આવે છે કે, જ્યારે આટલી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પધારતા હોય, ત્યારે કચરો યોગ્ય જગ્યાએ રાખવામાં આવેલી કચરા ટોપલીમાં જ નાંખે અને સ્વચ્છતામાં સહયોગ કરે. આમ, મહાશિવરાત્રી ના પર્વ સોમનાથ તીર્થ ભકતોના ભાવ અને મહાદેવના પૂજન થી શિવત્વની અનુપમ અનુભૂતી કરાવનાર પરમ ધામ બની રહેશે.

February 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway begins architectural overhaul of Somnath railway station
રાજ્ય

પશ્ચિમ રેલવે સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરશે. .

by kalpana Verat December 10, 2022
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai

રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને વિકસાવવાનો માનનીય વડાપ્રધાનના દૃષ્ટિકોણ અનુસાર ભારતીય રેલવેએ દેશભરમાં 204 સ્ટેશનોની પુન:વિકાસ માટે પસંદગી કરી છે, જેમાંથી ત્રણ સ્ટેશનોના પુન:વિકાસની કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે 43 સ્ટેશનોનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને આધુનિક સગવડોથી ભરપૂર વિશ્વસ્તરીય ટર્મિનલો રૂપે વિકસિત કરવાને વધારે મહત્ત્વ આપ્યું છે જેથી રેલવેના સામાન્ય યાત્રીઓને આરામદાયક, સુવિધાજનક અને સુખમય રેલયાત્રાનો અનુભવ થઇ શકે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગે જાહેર કરેલ એક અખબારી જાહેરાત અનુસાર રેલવે સ્ટેશન કોઇ પણ શહેરમાં આગમન માટેનું કેન્દ્રીય બિંદુ છે. સ્ટેશનોના પુન:વિકાસનો મૌલિક વિચાર શહેરનો પણ અભિન્ન વિકાસ કરવો અને શહેરના કેન્દ્ર જેવી જગ્યા સાથે શહેરનું ખાસ સ્થાન બનાવવાનો છે. રેલવે ટ્રેકની બંને બાજુએ સ્ટેશન બિલ્ડિંગની સાથે શહેરના બંને છેડાને જોડવામાં આવશે. દરેક સ્ટેશન પર પ્લેટફોર્મ પર એક વિશાળ રૂફ પ્લાઝા હશે, જેમાં રીટેઇલ, કાફેટેરિયા અને મનોરંજનની સગવડો જેમ કે ફૂડ કોર્ટ, વેઇટિંગ લાઉન્જ, સ્થાનિક ઉત્પાદનો માટે કેઓસ્ટ માટેની જગ્યા વગેરે જેવી તમામ સગવડો એક જ સ્થળે મળી રહેશે.

યાત્રીઓને વધારે સારી સગવડ આપવા માટે, દિવ્યાંગ અનુકૂળ સગવડો પર ખાસ ધ્યાન આપીને યોગ્ય સાઇનેઝ, લિફ્ટ/એસ્કેલેટર/ટ્રાવેલેટર હશે. પૂરતી પાર્કિંગ સગવડની સાથે આગમન-પ્રસ્થાનને અલગ કરવામાં આવશે અને વાહનવ્યવહાર સુચારુ રૂપે થઇ શકશે. તે સાથે જ પરિવહનના અન્ય સાધનો જેવા કે, મેટ્રો, બસ વગેરેની પણ સતત કનેક્ટિવિટી માટે સ્કાઇવોક, ટ્રાવેલેટર વગેરે દ્વારા સમાન બનાવવામાં આવશે. સાચે જ એ ગર્વની વાત છે કે ગુજરાતમાં આવેલ પશ્ચિમ રેલવેના ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ભારતીય રેલવે પ્રથમ એવું સ્ટેશન છે, જેને વિશ્વસ્તરીય સ્ટેશન રૂપે પુન:વિકસિત કરવામાં આવ્યું છે અને બીજા બે સ્ટેશન મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે રાની કમલાપતિ અને કર્ણાટકના બેંગ્લુરુમાં સર. એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલ છે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ સ્ટેશનો એટલે કે સોમનાથ, સૂરત, ઉધના, સાબરમતી, ન્યૂ ભુજ અને અમદાવાદ સ્ટેશનોના પુન:વિકાસનું કામ ચાલી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: ગૂગલ પાસે 75 લાખ વળતર માંગનાર અરજદાર પર સુપ્રીમે લગાવ્યો 25 હજારનો દંડ, જાણો કેમ

પશ્ચિમ રેલવેમાં પુન:વિકાસ કરવામાં આવી રહેલા સ્ટેશનો અંગે ઉલ્લેખનીય બાબત એ છે કે સોમનાથ સ્ટેશનના પુન:વિકાસનું કાર્ય શરૂ થઇ ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કામગીરી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ગતિશક્તિ યુનિટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સોમનાથ સ્ટેશનને 157.4 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે એક આધુનિક સ્ટેશન રૂપે પુન:વિકાસ કરવામાં આવી રહ્યો છે અને તેની કામગીરી માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સપ્ટેમ્બર, 2022થી આ સ્ટેશનને કામગીરી માટે બંધ કરવામાં આવ્યું છે અને હાલમાં સ્ટેશનના બિલ્ડિંગને પાડવાની કામગીરી ચાલે છે. તે સાથે જ પાયાનું ખોદકામ પણ ચાલુ છે. સોમનાથ સ્ટેશનને વાસ્તુશિલ્પ સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે જેનાથી એ નિશ્ચિત થશે કે સમગ્ર સ્ટેશનનો આગળનો ભાગ, ફિનિશિંગ, રંગ, સામગ્રી, તેની રચના અને સમગ્ર રૂપ અને અનુભવ દ્વારા એક સમાન લાગે.

મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અને આગળનો ભાગ પણ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવો દેખાતો હશે. તેની ડિઝાઇન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ પાસાંને પ્રતિબિંબિત કરશે અને પ્રાચીન તેમ જ આધુનિક વાસ્તુકલાનું સુંદર મિશ્રણ હશે. સોમનાથ રેલવે સ્ટેશનને વિવિધ સુખ-સગવડો અને સુવિધાઓ માટે પૂરતા ક્ષેત્રો સાથે મનોરમ્ય રીતે ડિઝાઇન કરેલા સ્ટેશન રૂપે અપગ્રેડ અને પુન:વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ યોજનમાં અલગ અલગ આવવા-જવાના યાત્રી પ્લાઝા, સ્ટેશનના પ્લેટફોર્મ ભીડથી મુક્ત અને સરળતાથી અંદર આવવા-બહાર જવાની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મ પરની ભીડ ઓછી કરવા માટે મુસાફરો માટે સગવડોથી ભરપૂર કોનકોર્સ-વેઇટિંગ રૂમ હશે. આખું સ્ટેશન વાઇ-ફાઇ કવરેજ ધરાવતું હશે. ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોના યોગ્ય ઉપયોગ, ઊર્જાનો નવીનતાભર્યો ઉપયોગ વગેરે સગવડોની સાથે સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે. બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી સંચાલિત વાહનોના સંચાલનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ધરાવતું હશે, જેમાં ઉત્કૃષ્ટ રેલવે મેનેજમેન્ટ માટે કુશળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવેલ લાક્ષણિકતાઓ સામેલ છે. ત્રિવેણી સંગમ હોવાથી સોમનાથ પ્રાચીન કાળથી જ મહત્ત્વનું તીર્થ સ્થાન ગણાય છે અને સોમનાથ મંદિરમાં સ્થાપવામાં આવેલ જ્યોતિર્લંગ શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા દરિયા કિનારાના વિકાસની યોજનાઓ સહિત વિવિધ પર્યટક આકર્ષણો સાથે ઓ એક ઉત્કૃષ્ટ પર્યટન સ્થળ બનાવવા માટે વિસ્તૃત વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેનું નવું આધુનિક સ્ટેશન ભવન આ શહેર માટે એક વધારાનું આકર્ષણ હશે. તે યાત્રીઓ, તીર્થયાત્રીઓ અને પર્યટકોને આધુનિક સુવિધાઓ અને સાધનો સાથે કોઇ એરપોર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરશે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ચોંકાવનારો કિસ્સો બન્યો : પતિને ડેટિંગ સાઇટ પર પોતાની પત્ની નો ફોટો મળ્યો, તપાસ કરતા Facebook ફોટા નું વેપાર કરતું એક કૌભાંડ બહાર આવ્યું.

December 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક