Tag: ફ્લાઇટ્સ

  • Biporjoy Cyclone :  ચક્રવાત બિપરજોયની એર ફ્લાઈટ પર અસર, મુંબઈ એરપોર્ટનો રનવે કરાયો બંધ, આ એરલાઇનની ફ્લાઈટ્સ થઇ કેન્સલ

    Biporjoy Cyclone : ચક્રવાત બિપરજોયની એર ફ્લાઈટ પર અસર, મુંબઈ એરપોર્ટનો રનવે કરાયો બંધ, આ એરલાઇનની ફ્લાઈટ્સ થઇ કેન્સલ

    News Continuous Bureau | Mumbai

    Biporjoy Cyclone : અરબી સમુદ્રનું ચક્રવાત બિપરજોય અત્યંત જોખમી બની રહ્યું છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય તીવ્ર ચક્રવાત તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક સહિત અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. તેની અસર મુંબઈમાં પણ જોવા મળી રહી છે. દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે.

    ચક્રવાત બિપરજોયની એર ફ્લાઈટ પર અસર 

    મુંબઈમાં ખરાબ હવામાનને કારણે એર ફ્લાઈટને અસર થઈ છે. જેના કારણે એર ઈન્ડિયાની ઘણી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ મુંબઈ એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ આ અંગે નિવેદન પણ આપ્યું છે. આ નિવેદનમાં, તેઓએ કહ્યું કે મુંબઈ એરપોર્ટ પર રનવે 09/27 ખરાબ હવામાનને કારણે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે એર ઈન્ડિયાની કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

    અમે વિક્ષેપો ઘટાડવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, અમારા મુસાફરોને થતી કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : આખરે વરસાદ આવી ગયો.. મુંબઈ અને પાલઘરમાં વરસાદની શરૂઆત; આગામી બે દિવસ વરસાદ રહેશે…

    હવામાન વિભાગની આગાહી 

     ખરાબ હવામાનને કારણે મુખ્ય રનવે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા પછી મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી, જેના કારણે મુસાફરોને રવિવારે રાત્રે કલાકો સુધી રાહ જોવી પડી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે કારણ કે ચક્રવાત બિપરજોય એક ‘અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડા’માં તીવ્ર બન્યું છે, અને 15 જૂને પશ્ચિમ કિનારે ત્રાટકે તેવી અપેક્ષા છે.

    કેન્દ્ર સરકારે આ નિર્દેશ આપ્યો

    કેન્દ્ર સરકારે તમામ અસરગ્રસ્ત રાજ્યોને બચાવ કામગીરી માટે આગોતરી તૈયારીઓ કરવા નિર્દેશ આપ્યો છે. IMD અનુસાર, ચક્રવાત તેના સ્થાનથી ઉત્તર-પૂર્વ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની અસર 14 જૂનથી દેખાવાનું શરૂ થશે અને આગામી 24 કલાક દરમિયાન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખતરાને જોતા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

     

     

  • એરલાઇન્સ કંપનીઓએ લૂંટ શરૂ કરી: Go Firstની ફ્લાઇટ્સ કેન્સલ થતાં જ અન્ય એરલાઇન્સને મોજ, આ રૂટ પર ભાડું બમણું!

    એરલાઇન્સ કંપનીઓએ લૂંટ શરૂ કરી: Go Firstની ફ્લાઇટ્સ કેન્સલ થતાં જ અન્ય એરલાઇન્સને મોજ, આ રૂટ પર ભાડું બમણું!

    News Continuous Bureau | Mumbai

    Go First એક દિવસમાં લગભગ 180-185 ફ્લાઇટ્સનું સંચાલન કરતી હતી અને તેના દ્વારા દરરોજ લગભગ 30,000 મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ ટેક્નિકલ રીતે, એરલાઈન્સની ફ્લાઈટ કામગીરી ઠપ્પ થઈ ગયા બાદ દરરોજ 30,000થી વધુ લોકો ટિકિટની શોધમાં અન્ય એરલાઈન્સનો સંપર્ક કરી રહ્યા છે. આ પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો અન્ય એરલાઇન્સ ઉઠાવી રહી છે.

    ટિકિટ વિન્ડો પર તપાસ કરતા ખબર પડે છે કે 15,000 ની ફ્લાઈટ ટિકિટનું ભાડું હવે વધીને 45000 રૂપિયા પર પહોંચી ગયું છે. ખાસ કરીને અન્ય એરલાઇન્સ કંપની જે ફર્સ્ટ નો વિકલ્પ બની હતી તે તમામ એરલાઇન છે તકનો ફાયદો લઈ લીધો છે. એક તરફ ગો ફર્સ્ટ એરલાઇન્સ દ્વારા ટિકિટ નું વળતર આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે લોકોને પ્રવાસ કરવા માટે અન્ય એરલાઇન્સ ની ટિકિટ ખરીદવી પડે છે જે માટે તેમણે વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે. Go First ફ્લાઈટ્સનું બંધ થવું અન્ય એરલાઇન્સ માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. તકનો લાભ લઈને આ એરલાઈન્સે દિલ્હી-મુંબઈ, દિલ્હી-લેહ, મુંબઈ-લખનૌ અને અન્ય રૂટ પર તેમના ભાડામાં વધારો કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો:   વૈશ્વિક ધનિકોની યાદી : મુકેશ અંબાણી ફરી ઝકરબર્ગથી નિકળ્યા આગળ, પરંતુ ગૌતમ અદાણી બે સ્થાન નીચે સરક્યાં

    ગો ફર્સ્ટ ની ખરેખર તકલીફ શું છે?

    એરલાઇન્સ Go Firstની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. રોકડની તંગીનો સામનો કરી રહેલી એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ કેન્સેલ ચાલી રહી છે અને એવિએશન રેગ્યુલેટર (DGCA) એ ટિકિટના સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

    GoFirst ફ્લાઇટ 12 મે સુધી 2 મેના રૉજ, Go First એરલાઇન્સે 3 મેથી 5 મે સુધીની તેની મામ ફ્લાઇટ્સ રદ કરી અને બાદૅમાં તેને 12 મે સુધી લંબાવી. દરમિયાન મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પેડ્યો હતો. GoFirst એ માત્ર ફ્લાઇટ્સ રદ કરી નથી, પરંતુ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પ્ણ અજી કરી છે અને તેના પર શક્ય તેટ્લી વ્હેલી તકે નિર્ણય લેવા વૈવિનંતી કરી છે.