• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - રાજકોટ
Tag:

રાજકોટ

Bageshwar Baba’s grand procession in Rajkot
રાજ્ય

આજ થી રાજકોટમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર: હજારો – લાખો ભાવિકો ઉમટશે

by kalpana Verat May 31, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

સનાતન ધર્મની જ્યોત પ્રજવલિત કરવા માટે નીકળેલા હિન્દુ હૃદય સમ્રાટ અને મધ્યપ્રદેશ સ્થિત બાબા બાગેશ્વર ધામના સરકાર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના રાજકોટ ખાતેના મહા દિવ્ય દરબારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. બાગેશ્વર બાબા અમદાવાદ નો કાર્યક્રમ પૂરો કરીને  સાંજે રાજકોટ આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે પણ જોરદાર તૈયારી થઈ રહી છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગુરુ અને શુક્ર એમ બે દિવસ માટે બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાશેે જેમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા છે. બાબા બાગેશ્વરના મહા દિવ્ય દરબાર માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ અને ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. રાજસ્થાનની રજવાડી થીમ ઉપર બનાવવામાં આવેલું ભવ્ય સ્ટેજ , સોફા અને ખુરશીઓ સહિતની બેઠક વ્યવસ્થા પણ તૈયાર થઈ ગઈ છે. 

શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટના મુખ્ય આયોજક યોગીનભાઈ છનિયારા, ભરતભાઇ દોશી, કિશોરભાઈ ખંભાયતા, જયદેવસિંહ જાડેજા, ગુણુભાઈ ડેલાવાળા, પરેશભાઈ ગજેરા, ડી.વી.મહેતા,ઘનશ્યામભાઈ હેરભા, વિજયભાઈ વાંક, કાંતિભાઈ ઘેટીયા, મિલન કોઠારી, સુજીત ઉદાણી, જય ખારા એ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના સુરત અને અમદાવાદના કાર્યક્રમો ભવ્ય રીતે સફળ થયા બાદ હવે તેઓ રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવા માટે કાર્યકર્તાઓ અને સનાતની હિન્દુ લોકો થનગની રહ્યા છે. રાજકોટમાં પણ બાગેશ્વર બાબાના મહા દિવ્ય દરબારને લઈને લોકોમાં ભારે ઉત્કંઠા છવાયેલી છે. રેસકોર્સમાં બે દિવસમાં દિવ્ય દરબાર દરમિયાન સમગ્ર વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે અને દરેકને તેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: મથિશા પથિરાનાના નામે જોડાયો આ ખાસ રેકોર્ડ, રવિન્દ્ર જાડેજા અને રાહુલ ચહર સાથે બનેલી આ ખાસ ક્લબનો બન્યો ભાગ

સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ કાર્યકર ભાઈ – બહેનોની ટીમ પણ કામે લાગી ગઈ છે. મધુરમ ક્લબ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં બે દિવસ માટે કામ ચલાઉ હોસ્પિટલ ઊભી કરવામાં આવશે અને બાબાના દરબારમાં આવનારા લોકોને કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક સમસ્યા ઊભી થાય તો ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ટીમ ખડે પગે રહેશે. મધુરમ ક્લબના પ્રમુખ મિલન કોઠારીએ પણ આ સુવિધા અંગે જરૂરી વિગતો આપી હતી. રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ભાજપના અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા, ગોવિંદભાઈ કાનગડ, મુરલીભાઈ દવે, શૈલેષભાઈ જાની, પંકજભાઈ રાવલ, સહિતના અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું.

May 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rajkot farmer's onion bill went viral on social media
વેપાર-વાણિજ્ય

રાજકોટ-ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, વેચવા ગયેલા ખેડૂતોને સામેથી રૂપિયા ચૂકવવા પડ્યા, બિલ વાયરલ, જાણો કેમ

by Dr. Mayur Parikh March 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા ગયા પરંતુ રૂપિયા વધુ મળવા જોઈએ તેના બદલે સામે ચૂકવવા પડ્યા હતા. ઘાટ કરતા ઘડામણ મોંઘી થઈ જેવો ઘાટ સર્જાયો હતો. ડુંગળીના રુપિયા કરતા ભાડું ટેમ્પોનું વધુ થયું હોવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

ડુંગળી અત્યારે રાતા પાણીએ ખેડૂતોને રડાવી રહી છે. ભાવ ના મળવાના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. જેના બિલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જે બિલ મળ્યું તે બિલ પણ વાયરલ થતા પરિસ્થિતિ ખેડૂતોની સામે આવી છે. આ પ્રકારની સ્થિતિમાં ખેડૂત કેવી રીતે ઉભો થઈ શકે છે. ખેડૂતોની આવક ડબલ કરવાની જગ્યાએ ખેડૂતોને આખું વર્ષ મહેનત કરવા બદલ પાક ના ભાવ સામાન્ય મળી રહ્યા છે.

માર્કેટ યાર્ડમાં 1 રુપિયા આસપાસ કિલો ડૂંગળી

ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજકોટમાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા ગયા હતા. 1 રૂપિયાના ભાવે માર્કેટ યાર્ડમાં કિલો ડુંગળી ખરીદવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ યાર્ડોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો  : બેંક ગ્રાહકો માટે ખુશખબર: બદલી જશે બેંક ખુલવા અને બંધ થવાનો સમય, જાણો હવે શું હશે

આ કારણે બિલ થયું વાયરલ

ડુંગળી પકવતા ખેડૂતોનું વેચાણ નું બિલ પણ આ મામલે વાયરલ એટવા માટે થઈ રહ્યું છે કેમ કે, એક રૂપિયાના ભાવે કિલો ડુંગળી વેચી હતી. 472 કિલો ડુંગળીના ભાવ 495 રૂપિયા મળ્યા હતા. જ્યારે ભાડું ટેમ્પામાં લાવ્યા હોવાથી 626 થયું હતું. ભાડું સહિત અન્ય ખર્ચ મળીને થયો 626 થતા લેવાના બદલે 131 ચૂકવવા પડ્યા હતા જેથી આ બિલ પણ વાયરલ થયું હતું. આ પ્રકારના મફતના ગણ્યા ગાંઠ્યા ભાવ મળતા ખેડૂતોમાં પણ સખત નારાજગી જોવા મળી રહી છે. રૂપિયા લેવાના બદલે ચૂકવતો જગતનો તાત હેરાન થઈ રહ્યો છે. જેની સામે મોંઘવારી ખૂબ વધી રહી છે. તો ખેડૂતોને તેનું વળતર શા માટે નથી મળી રહ્યું.

ડુંગળીની જેમ બટાકાના ભાવો પણ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી આ મામલે સરકારે અત્યારે પુરતો દિલાશો આપીને આ મામલે વિચારણા કરીશું તેવું ચોક્કસથી કહ્યું છે પરંતુ નિર્ણય ના લેવાય ત્યાં સુધી આ સ્થિતિ જોવા મળી છે.

March 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rajkot Aji dam water level increased in winter season
રાજ્ય

રાજકોટવાસીઓ આનંદો: ભર શિયાળે વગર વરસાદે આજી ડેમનાં પાણીની સપાટી સાડા ત્રણ ફૂટ વધી.

by Dr. Mayur Parikh February 8, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાજકોટવાસીઓ આનંદો: ભર શિયાળે વગર વરસાદે આજી ડેમનાં પાણીની સપાટી સાડા ત્રણ ફૂટ વધી ભર શિયાળે રાજકોટની જીવાદોરી સમાજ આજી ડેમની જળ સપાટીમાં સાડા ત્રણ ફૂટનો વધારો થયો છે. 29 ફુટે ઓવર ફ્લો થતા આજી ની સપાટી 22.77 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમાં હાલ 538.94 એમસીએફટી પાણી સંગ્રહીત છે. રાજકોટવાસીઓએ ચોમાસા સુધી પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે 1350 એમસીએફટી નર્મદાના નીર સૌની યોજના અંતર્ગત માંગવામાં આવ્યું હતું. ગત ર1મી જાન્યુઆરીથી આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરુ કરાયું હતું. ત્યારે ડેમની સપાટી 19.42 ફૂટ હતી અને ડેમમાં 382.61 એમસીએફટી પાણી સંગ્રહીત હતું. છેલ્લા 17 દિવસમાં આજી ડેમમાં 276.27 એમસીએફટી નર્મદાનું નીર ઠાલવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Stroke Symptoms: જો અચાનક વિચારવામાં કે બોલવામાં તકલીફ થાય તો સમજવું કે તમને સ્ટ્રોક આવવાનો છે! કેવી રીતે બચાવ કરવો તે જાણો

હજી 3રપ એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે ત્યારબાદ મે માસમાં વધુ 3પ0 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે જયારે ન્યારી-1 ડેમ માં પણ 270 એમસીએફટી નર્મદાના નીર ઠાલવાશે વગર વરસાદે આજીની સપાટીમાં 3.50 ફૂટનો વધારો નોંધાયો છે. દૈનિક 20 થી રપ એમસીએફટી નર્મદાનું પાણી ઠલવાય રહ્યું છે.

February 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rajkot businessman kidnapped in Johannesburg rescued police
રાજ્ય

રાજકોટ: રાજકોટના યુવાનનું આફ્રિકામાં અપહરણ, ખંડણી પેટે દોઢ કરોડ માંગ્યા, પોલીસે હેમખેમ છોડાવ્યો

by kalpana Verat February 4, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

રાજકોટનો યુવાન વ્યાપાર અર્થે સાઉથ આફ્રિકાના જ્‍હોનીસબર્ગ ગયો હતો, જ્યાં તેનું અપહરણ થયું હતું. જોકે આશરે 15 દિવસની જહેમત બાદ રાજકોટ પોલીસ અને જ્‍હોનીસબર્ગ પોલીસે યુવાનને હેમખેમ અપહરણકર્તાઓના ચુંગલમાંથી છોડાવી દીધો છે અને અપહરણ કરનારી ગેંગને જ્‍હોનીસબર્ગ પોલીસે ઝડપી પાડી ખંડણી પેટે વસૂલવામાં આવેલા નાણા પણ રિકવર કરી લીધા જોવાનું જાણવા મળ્યું છે.     

માહિતી મુજબ રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો કેયુર બિઝનેસ માટે સાઉથ આફ્રિકા ગયો હતો. દરમિયાન તેનું અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ યુવાનના પિતાને ફોન કરી ખંડણી પેટે રૂપિયા દોઢ કરોડની માગ કરી હતી. જોકે યુવાનના પિતાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાજકોટ પોલીસે આફ્રિકાની પોલીસનો સંપર્ક કરી યુવાનના અપહરણ અંગે જણાવ્યું હતું. 

પરિવારે રાજકોટ અને આફ્રિકા પોલીસેનો આભાર માન્યો

કીડનેપર્સ દ્વારા છેલ્લે રૂ.30 લાખમાં સેટલમેન્ટ કરવાની વાત કરવામાં આવી હતી. દરમિયાન લોકેશનના આધારે આફ્રિકન પોલીસે કીડનેપર્સને રૂ.30 લાખ સાથે ઝડપી લીધા હતા. આમ રાજકોટ અને આફ્રિક પોલીસે મળી લગભગ 15 દિવસની જહેમત બાદ યુવાનને હેમખેમ છોડાવી લીધો હતો. યુવાન દેશ પરત આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ રાજકોટ અને સાઉથ આફ્રિકાની પોલીસ અને ભારત સરકારનો આભાર માન્યો છે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર ડોપ ટેસ્ટમાં ફેલ, ITAએ તેના પર 21 મહિનાનો પ્રતિબંધ મૂક્યો.. 

 
February 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Aviation secy reviews progress of under-construction Hirasar airport
રાજ્ય

રાજકોટ હિરાસર એરપોર્ટનો રન-વે થઈ ગયો તૈયાર: ઉડ્ડયન સચિવ રાજીવ બંસલ આવ્યા મૂલાકાતે

by Dr. Mayur Parikh January 23, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાજકોટની ભાગોળે નિર્માણ પામી રહેલા હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે મુલાકાત લીધી હતી. અને એરપોર્ટમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. બંસલ તથા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ રવિવારે સવારે હીરાસર ખાતે સૌથી પહેલાં રન-વે નિહાળ્યા બાદ એપ્રન એરીયા, એરપોર્ટમાં નિર્માણ પામી રહેલા બોક્સ કલવર્ટ, ટર્મિનલ, હાલમાં બનાવાયેલા ટેમ્પરરી ટર્મિનલ, ફાયર સ્ટેશન તેમજ હાઇવેથી એરપોર્ટને જોડતા રોડની કામગીરી રૂબરૂ નિહાળી હતી અને ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કલેક્ટર અરૂણ મહેશ બાબુ તેમજ એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધીએ એરપોર્ટની કામગીરીનો પ્રગતિ અહેવાલ આપ્યો હતો. નેશનલ એરપોર્ટ ઓથોરિટી, ગુજરાત એરપોર્ટ ઓથોરિટી તેમજ હિરાસર એરપોર્ટના અધિકારીઓ, કોન્ટ્રાક્ટિંગ એજન્સી, જમીન સંપાદન વિભાગના અધિકારી, વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સચિવ બંસલે સમીક્ષા બેઠક યોજી હતી. અને એરપોર્ટની કામગીરીની પ્રગતિ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે બંસલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ રાજકોટના આંગણે નિર્માણ પામી રહ્યો છે, તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. કારણ કે આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે સીમાચિન્હરૂપ બનવાનો છે. નોંધનીય છે કે, હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કામાં 3 કિલોમીટરના રન-વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. એપ્રન, ટેક્સી વેય્ઝની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. રન-વે પર લેન્ડિંગ લાઇટ્સ લાગી ચુકી છે. તથા ફાયર સ્ટેશનની કામગીરી પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે.

આ સમાચાર પણ વાંચો:  વટાણાની છાલમાંથી બનાવો ટેસ્ટી શાક, પરિવારના સભ્યો આંગળીઓ ચાટતા રહેશે

January 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
a white tigress gave birth to two male cubs at Rajkot Zoo
પ્રકૃતિ

રાજકોટનાં ઝૂ માં આવ્યા બે નાના મહેમાન: સફેદ માદા વાઘણએ ૨ બાળકોને જન્મ આપ્યો

by kalpana Verat December 6, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

રાજકોટનાં ઝૂ માં આવ્યા બે નાના મહેમાન: સફેદ માદા વાઘણએ ૨ બાળકોને જન્મ આપ્યો રાજકોટમાં અનેક ફરવાલાયક સ્થળો છે એ સ્થળોમાનું એક સ્થળ છે જેમાં રાજકોટ ઝૂ હાલ રાજકોટનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. સામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે.. આ ઝૂમાં સફેદ વાઘે ૨ બાળકોને જન્મ આપ્યો હતો.

સફેદ વાઘ નર દિવાકર તથા સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી ૧૦૮ ‍દિવસના ગર્ભાવસ્‍થાના અંતે કાવેરી વાઘણે ૨ વાઘ બાળને જન્મ આપ્યો છે જે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારમાતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. હાલ શિયાળો હોવાથી બચ્ચાઓને ઠંડી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Sanjay Gandhi National Park : ગુજરાતના સિંહોને પાલક મળ્યા; વનમંત્રીની હાજરીમાં સિહો પીંજરુ છોડીને મુક્ત વિહાર કરશે.

રાજકોટ ઝૂ ખાતે અત્‍યાર સુધીમાં કુલ ૧૩ (તેર) સફેદ વાઘ બાળનો જન્‍મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે ૧૦ બચ્‍ચાંને જન્‍મ આપેલ, યશોધરા વાઘણે ૧ બચ્‍ચાંને જન્‍મ આપેલ તેમજ કાવેરી વાઘણે ૨ બચ્‍ચાંને જન્‍મ આપેલ. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ–૨નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા ૦૮ થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-૧, પુખ્ત માદા-૩ તથા બચ્ચા-૪નો સમાવેશ થાય છે.

December 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક